હવે વિદેશી રસીને ભારતમાં બ્રિજિંગ ટ્રાયલની પ્રક્રિયામાંથી પસાર થવું નહીં પડે.
વિદેશી રસી નિર્માતાઓને લોકલ ટ્રાયલની છુટ આપી દીધી હતી
DCGIનો આ નિર્ણય વિદેશથી થનારા રસી સપ્લાય માટે મદદ રુપ
ઉમેદવારોને લોકલ ક્લીનિકલ ટ્રાયલ અથવા બ્રિજિંગ સ્ટડીઝ
DCGIનો આ નિર્ણય વિદેશથી થનારા રસી સપ્લાય માટે મદદ રુપ
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અથવા કેટલાક વિશેષ દેશોમાં પરવાનગી પ્રાપ્ત કરી ચૂકેલી રસીને ભારતમાં બ્રિજિંગ ટ્રાયલની પ્રક્રિયામાંથી પસાર થવું નહીં પડે. આ વાતની જાણકારી બુધવારે ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ આપી છે. કહેવામાં આવી રહ્યું છે કે રસીની અછતના સમાચારોની વચ્ચે DCGIનો આ નિર્ણય વિદેશથી થનારા રસી સપ્લાયને સારુ બનાવવા માટે મદદ રુપ બનશે. ફાઈઝર અને મોર્ડના જેવા અનેક નિર્માતાઓએ સરકારની સામે આ શરત રાખી હતી.
કઈ સંસ્થાઓ પાસેથી મંજૂરી મેળવેલી રસીને મળશે છુટ
USFDA, EMA, UK MHRA, PMDA જાપાન અથવા WHOની ઈમરજન્સી યૂઝ લિસ્ટિંગ એટલે કે EULમાં સામેલ રસીને બ્રિજિંગ ટ્રાયલ નહીં કરવી પડે. આમાં સારા સમાચાર એ છે કે સારી રીતે સ્થાપિત તે રસી પણ સામેલ રહેશે જેને પહેલા લાખો લોકો લગાવી ચૂક્યા છે. DCGIના વીજી સોમાનીએ જણાવ્યું કે આ છુટ નેશનલ એક્સપર્ટ ગ્રુપ ઓન રસી એડમિનિસ્ટ્રેશન(NEGVAC)ની ભલામણના આધારે આપવામાં આવી છે.
પહેલા લોકલ ક્લીનિકલ ટ્રાયલ અથવા બ્રિજિંગ સ્ટડીઝ જરુરી હતી
આ પહેલા રસીના ઉમેદવારોને લોકલ ક્લીનિકલ ટ્રાયલ અથવા બ્રિજિંગ સ્ટડીઝમાંથી પસાર થવાનું રહેતું હતુ. આ અંતર્ગત રસીને ભારતીયોને લગાવીને સુરક્ષા સહિત અનેક વસ્તુઓનની તપાસ કરવામાં આવતી હતી. ખાસ વાત એ છે કે સરકાર પર રસીનો ઓર્ડર જારી કરવામાં મોડું કર્યાનો આરોપ લાગી રહ્યા હતા. સરકારે પોતાની નીતિના બચાવમાં કહ્યુ હતુ કે તે ફાઈઝર, જોનસન એન્ડ જોનસન અને મોર્ડનાની સાથે 2020ના મધ્યથી સંપર્કમાં છે.
વિદેશી રસી નિર્માતાઓને લોકલ ટ્રાયલની છુટ આપી દીધી હતી
જાણકારી આપવામાં આવી હતી કે સરકારે જાણીતા વિદેશી રસી નિર્માતાઓને લોકલ ટ્રાયલની છુટ આપી દીધી હતી. રાજ્ય સરકારોએ કેન્દ્ર સરકાર પર પુરતો રસી સપ્લાય નહીં કરવાનો આરોપ લગાવ્યો હતો. આના પર કહેવામાં આવ્યુ હતુ કે કેન્દ્ર નક્કી દિશા નિર્દેશો અનુસાર રાજ્યોને પારદર્શી રીતે પુરતી રસી પહોંચાડી રહ્યું છે. હાલમાં ભારતમાં સીરમની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવૈક્સિન તથા ડોક્ટર રેડ્ડીઝ લેબમાં તૈયાર થઈ રહેલી સ્પૂતનિક વીનો ઉપયોગ થઈ રહ્યો છે.