બનાસકાંઠાઃ ગૌશાળામાં ઘાસચારાની તંગી સર્જાઈ છે. 57 હજાર કરતા વધુ પશુઓ માટે ઘાસચારાની તંગી સર્જાઈ છે. બનાસકાંઠામાં પૂરની પરિસ્થિતિ બાદ ઘાસચારાની ભાવમાં વધારો થયો છે. જેના કારણે 97 ગૌશાળા સંચાલકોએ સરકાર પાસે મદદની માગ કરી હતી.
જોકે સરકારે રાહત આપવા માટે તૈયારી દર્શાવી હતી પરંતુ સરકાર દ્વારા અત્યાર સુધીમાં રાહત આપવામાં આવી નથી. સરકાર દ્વારા રાહત ન મળતા પશુપાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે ગૌશાળાના સંચાલકોએ પશુઓ સરકારી કચેરીમાં છોડ્યા છે.
મહત્વનું છે કે ગૌશાળાનો સંચાલકોએ સહાયના અભાવે ગાયોને છૂટ્ટી મુકી છે ત્યારે સરકાર તરફથી નીતિન પટેલે પ્રતિક્રીયા આપતા જણાવ્યું હતું કે દાનથી ચાલતી ગૌશાળાઓ દ્વારા ગાયો છોડી મુકવી અયોગ્ય છે. સરકાર બે રૂપિયા કીલો ઘાસ આપે છે તે યોજનો લાભ લેવો જોઈએ.