રાજકોટઃ સરધારા વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે. સરધારના ગુરુકુલ શોપિંગ સેન્ટરમાં આ આગ લાગી છે. આગ લાગતા સ્થાનિકો દ્વારા આગ બુઝવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો. આગના પગલે રાજકોટ-ભાવનગર હાઈવે પર ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા.
ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા સમયથી આગ લાગવાના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. કેટલીક જગ્યાએ વધતા તાપને લઇ તો ક્યાંક આગ લગાવવામાં આવી રહી છે. ત્યારે રાજકોટના સરધારામાં આગનો બનાવ બનવા પામ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે આગ લાગવાને લઇ કોઇ જાનહાની થવા પામી નથી. આ આગને લઇ ભાવનગર-રાજકોટ હાઇવે ચક્કાજામ થયો હતો. લોકોએ આગ બુઝાવવાના પ્રયત્નો કર્યા હતા.