જમ્મૂ-કાશ્મીરના શોપિયામાં રવિવારે સુરક્ષ જવાનોએ એનકાઉન્ટરમાં બે આંતકીઓને ઠાર માર્યા હતા. સુરક્ષા દળો અને આંતકીઓની વચ્ચે થયેલી અથડામણ કાશ્મીરના શોપિયાં જિલ્લાના રેબન વિસ્તારમાં થઇ હતી.
જાણકારી અનુસાર આંતકીઓ સાથે સેના એસઓજી અને સીઆરપીએફની સંયુક્ત ટીમ મુકાબલો કર્યો હતો. સુરક્ષા દળોને આંતકીઓ ઘૂસ્યા હોવાની બાતમી પાસેથી મળી હતી. ત્યારબાદ આંતકીઓને પકડવા માટે સેના તરફથી ઓપરેશન ચલાવવામાં આવ્યુ હતુ.
એક પોલીસ અધિકારીના મતે માર્યા ગેયલા આતંકીઓની પાસેથી એકે-47 અને એક પિસ્તોલ મળી આવ્યા છે. માર્યા ગયેલા આંતકીઓની ઓળખ પણ કરી લેવામાં આવી છે. જેમાંથી એકનું નામ અલબદર નવાજ અને બીજાનું નામ આદિલ બતાવવામાં આવી રહ્યુ છે.
જાણકારી અનુસાર રવિવારે લગભગ સાડા ત્રણ વાગે સીઆરપીએફની 178મી બટાલિયન એસઓજી જૈનપોરા અને 1 રાષ્ટ્રીય રાઇફલ્સે આંતકીઓની શોધમાં તપાસ અભિયાન ચલાવ્યુ. આ એન્કાઉન્ટમાં સીઆરપીએફ જવાના પગમાં ગોળી વાગી. ઇજાગ્રસ્ત જવાનને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યો છે.
અગાઉ શનિવારે બપોરે શોપિયાંમાં આતંકીઓએ ત્રણ યુવકોનું અપહરણ કર્યુ અને તેમાંથી એકની હત્યા કરી દેવામાં આવી હતી જ્યારે યુવાનોએ સાંજે છોડી મૂકવામાં આવ્યા હતા. ત્યારબાદ સાંજ પડતા શોપિયાંના મંદિર વિસ્તારમાં બીજા 2 યુવકોનું અપહરણ કરવામાં આવ્યુ હતુ.
As search operation was going on search party was fired upon by the hiding terrorists. The fire was retaliated leading to an encounter. In the ensuing encounter 2 terrorists were killed&bodies were retrieved from site of encounter. Identities are being ascertained: J&K Police
જમ્મૂ-કાશ્મીરમાં શનિવારે પંચાયત ચૂંટણીના પહેલા ચરણનું મતદાન હતુ. તેમાં શનિવારે 64.5% મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો જ્યારે જમ્મૂ વિસ્તારમાં 79.5% મતદાન નોંધાયું.