યમરાજ પાન પાર્લરમાં 69 વર્ષના બિપીન પ્રજાપતિની હત્યા કરેલો મૃતદેહ મળતા સનસનાટી મચી હતી.
દુકાન માલીકની ઘાતકી હત્યા
વસ્ત્રાલમાં ભાડુઆતે કરી હત્યા
રૂ.50 હજારનુ બાકી ભાડુ લેવા જતાં થઈ હત્યા
વસ્ત્રાલના વેદશ્રી રેસિડેન્સી એન્ડ શોપિંગ સેન્ટરના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલા યમરાજ પાન પાર્લરમાં 69 વર્ષના બિપીન પ્રજાપતિની હત્યા કરેલો મૃતદેહ મળતા સનસનાટી મચી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરતા હત્યા ભાડુઆતે કરી હોવાનું ખુલતા પોલીસે ભાડુઆત હિતેન્દ્રસિંહ દરબારની ધરપકડ કરી છે. ઘટનાની વાત કરીએ તો, બીપીનભાઈ પ્રજાપતિએ પોતાની દુકાન દશરથ ઠાકોર નામના વ્યક્તીને રૂ 17 હજારના ભાડા પેટે આપી હતી.
પંરતુ દશરજી ઠાકોર ઘણા સમયથી ભાડુ ચુકવતો નહોતો. દશરથ ઠાકોરને ભાડાના રૂ.50 હજાર ચુકવવાના બાકી હતી. જેને આપવા માટે શુક્રવારે બિપીનભાઈને બોલાવ્યા હતા. બિપીનભાઈ ઘરેથી ભાડુ લેવાનું કહીને દુકાને આવ્યા. પરંતુ તેમનો મોબાઈલ બંધ આવતા પરિવારને શંકા ગઈ અને તેમણે દુકાન પર પહોંચી તપાસ કરતા તેમનો હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો.
હિતેન્દ્રસિંહ દરબારે વૃદ્ધની હત્યા કરીને ફરાર થઈ ગયો હતો. પરંતુ પોલીસે બાતમી અને કોલ લોકેશનના આધારે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી લીધો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, હિતેન્દ્રસિંહ વસ્ત્રાલના સુમિનપાર્કમા રહે છે. આરોપીએ દશરથ ઠાકોર પાસેથી આ દુકાન ભાડે લીધી હતી.
જયારે બિપીન પ્રજાપતિએ પોતાની દુકાન દશરથ ઠાકોરને ભાડે આપી હતી. અને ભાડુ નહીં ચૂકવતા બિપીનભાઈ ઉઘરાણી કરતા હતા.. જેથી હિતેન્દ્રસિહ દરબારે માથા અને છાતીના ભાગે તિક્ષણ હથિયારથી હુમલો કરીને હત્યા કરી દીધી હતી. આ હત્યામા અન્ય કોઈ વ્યકિતની સંડોવણી છે કે નહિ તે મુદ્દે તપાસ શરૂ કરી.