કોરોના વાયરસ અત્યાર સુધીમાં 29 દેશોમાં ફેલાઈ ચુક્યો છે. જ્યારે આ લખાઈ રહ્યું છે ત્યારે અત્યાર સુધીમાં 1384 લોકોના મોત નિપજ્યાં છે. તો 64,447 લોકો કોરોના ગ્રસ્ત છે. જેમાં મોંત અને અસરગ્રસ્ત લોકોની સંખ્યાં ચીનમાં સૌથી વધારે છે. ઉત્તર કોરિયામાં પણ કોરોનાના કેસ નોંધાયા છે. જોકે ઉત્તર કોરિયામાં દર્દીઓ સાથે એવું વર્તન કરવાાં આવે છે જે જાણીને કમકમાટી આવી જશે.
શું ઉત્તર કોરિયામાં કોરોના ગ્રસ્તને ગોળી મારી હત્યા કરવામાં આવે છે.
એક વ્યક્તિની આ કારણોસર જાહેરમાં હત્યા કરાયી
કિમ જોંગ ઉને સાફ ચેતવણી આપી છે
ઉત્તર કોરિયામાં કોરોના વાયરસનો ચેપ ધરાવતા દર્દીઓને જાહેરમાં ગોળીઓ ધરબી દેવામાં આવતી હોવાના ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોરોના વાયરસના વધતા ભય વચ્ચે ઉત્તર કોરિયામાં ચીનથી પરત આવેલી એક વ્યક્તિની જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે તે વ્યક્તિ કોરોના વાયરસથી પીડિત હતી અને તે નિયમો તોડીને સ્નાન કરવા માટેના એક જાહેર સ્થળ પર જોવા મળી હતી.
નિયમોની વિરુદ્ધ જનારી આ વ્યક્તિને ગોળીઓ ધરબીને મારી નાંખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ઉત્તર કોરિયાના ક્રૂર સરમુખત્યાર કિમ જોંગ ઉને ચીનથી પરત ફરનારા તમામ લોકો માટે બહુ કડક નિયમો બનાવ્યા છે.
ચીનથી પરત આવેલા તમામ લોકોને હાલ ઉત્તર કોરિયા આઈસોલેશન વોર્ડમાં રાખી રહ્યું છે અને તેમના પર લશ્કરી અધિકારીઓ નજર રાખે છે. સૂત્રોના કહેવા પ્રમાણે, કિમ જોંગ ઉને સાફ ચેતવણી આપી છે કે, જો કોરોનાનો ચેપ ધરાવતી એકપણ વ્યક્તિ કોઈ જાહેર સ્થળ પર દેખાઈ તો તેમને તરત ગોળીઓથી ઉડાવી દેવામાં આવશે અને જવાબદાર અધિકારી સામે પણ કડક કાર્યવાહી થશે.