નિર્ભયાના ગુનેગારોને ફાંસીની સજા થવા જઈ રહી છે. પાછલા કેટલાક વર્ષોમાં જે લોકોને ફાંસીની સજા આપવામાં આવી છે તેના મુખ્ય અપરાધીઓમાં ધનંજય ચેટર્જી, અજમલ કસાબ, ઓટો શંકર અને યાકુબ મેમણનો સમાવેશ થાય છે. જો કે ભારતમાં ફાંસી ઉપરાંત પણ એક પદ્ધતિથી દોષિતને મોતની સજા ફટકારવામાં આવે છે અને તે રીત છે ગોળી મારી ને.
બ્રિટનના વિલિયમ મારવુડે આધુનિક ફાંસીની શોધ કરી હતી
ભારતીય સૈન્યની કોર્ટ (કોર્ટ માર્શલ) ગોળી મારીને ફાંસીની સજા અપાવી શકે છે
ફાંસી માટે શું કાયદો છે?
ધ કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર 1898માં ફાંસી પર લટકાવીને મૃત્યુ દંડ આપવાની જોગવાઈ છે. આ જોગવાઈ કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર 1973માં પણ અપનાવવાનો ઉલ્લેખ છે.
કોને શોધી હતી આ પદ્ધતિ?
આમ તો ફાંસીની સજા સદીઓ જૂની છે પરંતુ આધુનિક ઇતિહાસમાં ફાંસી આપવાની રીત બ્રિટનના વિલિયમ મારવુડે શોધી હતી. તેમણે 9 વર્ષની જલ્લાદની ફરજમાં 176 લોકોને ફાંસી આપી હતી.
દેશમાં બીજી રીતથી મૃત્યુદંડ ફટકારાય છે
દેશમાં મૃત્યુની સજાનો બીજો રસ્તો ગોળી મારીને આપવામાં આવતી સજા છે. જો કે આ પદ્ધતિનો ઉપયોગ સામાન્ય નાગરિકો ઉપર કરવામાં આવતો નથી. આ પદ્ધતિનો ઉપયોગ ફક્ત ભારતીય સેનામાં કોર્ટ માર્શલ એટલે કે સૈન્યની કોર્ટમાં જ કરવામાં આવે છે.
સેનામાં મૃત્યુ દંડ માટે શું જોગવાઈ છે?
ધ આર્મી એક્ટ, ધ નેવી એક્ટ અને ધ એર ફોર્સ એક્ટમાં મૃત્યુ દંડ ગોળી મારીને આપવાની જોગવાઈ છે. એરફોર્સ એક્ટ 1950ના સેક્શન 34માં જોગવાઈ છે કે જો કોર્ટ માર્શલ દોષિતને મોતની સજા ફટકારે તો તેને ફાંસી પર લટકાઈને અથવા ગોળી મારીને એમ બંને રીતે સજા આપી શકાય છે. પરંતુ બંને પદ્ધતિમાં અપરાધીની મોત થઇ જાય તે સુનિશ્ચિત કરવું જરૂરી છે.