શૂલપાણેશ્વરના જંગલોમાં ભટકે છે અશ્વત્થામા, જીવીત હોવાના આજે પણ પુરાવા, દૂરથી દેખાય છે. નજીક આવતા ગાયબ
'અશ્વત્થામાં જીવે છે. !!
મહાભારતથી અશ્વત્થામાંની છે ચર્ચા
5 હજાર વર્ષોથી જીવે છે ભટકતું જીવન
‘મહાભારત’ હિન્દુ ધાર્મિક ગ્રંથો અને સાહિત્યની એક ખૂબ જ અનોખી કૃતિઓમાંથી હજી પણ લોકો માટે ઉત્સુકતાનો વિષય છે. તેમાં આજે પણ મહાભારતનું એક પાત્ર લોકમુખે સદીઓથી ચર્ચાનો વિષય છે. જેને આપણે અશ્વત્થામા તરીકે જાણીએ છીએ. અને તેઓ આ પૃથ્વી પર ભટકતું જીવન જીવી રહ્યા છે. અને તે પણ આપણા ગુજરાતમાં નર્મદાના કાંઠે આવેલા શૂલપાણેશ્વરના જંગલમાં ભટકે છે. ત્યારે શું છે
નર્મદાના કિનારે આવેલા શૂલપાણેશ્વરના જંગલમાં આજે પણ ભટકે છે!
આ વાદીઓમાં. આ લીલા]મ જંગલોમાં. . આજે પણ રાત્રીને અંધકાર થાય. એટલે લોકોને એક ભટકતા વ્યિક્તનો અવાજ સંભળાય છે. આજે પણ અહીં રહેલા લોકોને એક માણસ ભટકો હોય તેવો આભાષ થાય છે. આ માણસ અન્ય કોઈ નહીં. પરંતુ 5 હજાર વર્ષથી એક અભિશાપના કારણે ભટકી રહેલ યૌદ્ધા અશ્વત્થામા છે.
નર્મદાના કિનારે અશ્વત્થામાં ભટકતા હોવાની શું છે લોકવાયકા? ક્યા અભિશાપના કારણ અશ્વત્થામાં ભટકતું જીવન જીવી રહ્યા છે?
શૂલપાણેશ્વરના જંગલોમાં અશ્વત્થામાં ભટકતા હોવાની લોકવાયકા પણ જાણીશું. પરંતુ તે પહેલા પૌરાણીક ઈતિહાસ પર નજર કરીએ તો. એવું કહેવાય છે કે, અશ્વત્થામા પાંડવો અને કાૌરવોના ગુરૂ દ્રોણાચાર્યના પુત્ર હતા. જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે પાંડવોએ ગુરૂ દ્રોણાચાર્યના વધ માટે અશ્વત્થામાં માર્યો ગયો હોવાની અફવા ફેલાવી. અને ગુરૂ દ્રોણ શોકમાં સરી પડતા પાંડવોએ અવશર જોઈ તેમની હત્યા કરી નાખી. જે બાદ આક્રોષમાં આવી બદલો લેવા માટે અશ્વત્થામાંએ પાંડવ પુત્રોની હત્યા કરી. જે બાદ અર્જૂન અને અશ્વત્થામાં વચ્ચે યુદ્ધ થયું. અને બંનેએ બ્રાહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો. પરંતુ વિશ્વના વિનાશના ભયને પામી મહર્ષિ વેદ વ્યાસે તેમને બંનેને પોતાના શસ્ત્રાો પાછા ખેંચવા કહ્યું. જેમાં અશ્વત્થામાં બ્રહ્માસ્ત્ર ખેંચી ન શક્તા તેને કોઈ એક નિશાન સાધવા કહ્યું અને તેણે અભિમન્યુની પત્ની ઉત્તરાના ગર્ભ તરફ શસ્ત્રની દિશા બદલી હતી. જેથી ગુસ્સે થઈને અર્જૂને વાર કર્યો. જેમાં અશ્વત્થામાના માથા પરની મણી નકિળી ગઈ. જ્યારે ભગવાન કૉષ્ણએ અશ્વત્થામાને આ કૉત્ય બદલ 6000 વર્ષ સુધી પૃથ્વી પર ભટકતું જીવન જીવવાનો શ્રાપ આપ્યો. જેથી આજે પણ અશ્વસ્થામાં પૃથ્વી પર ભટકે છે. અને આ ભટકતા જીવનની એક કડી માખણેશ્વરમાં આજે પણ હયાત છે. જે અશ્વત્થામાં જીવીત હોવાનો પૂરાવો માનવામાં આવે છે.
મંદિરમાં વહેલી સવારે રોજ આવે છે અશ્વત્થામા
એવું કહેવાય છે કે, શ્રીકૉષ્ણએ શાપ આપ્યા છી અશ્વસ્થામાં સાતપુરાના સુમસામ જંગલ વિસ્તારોમાં ભટકી રહ્યા છે. સ્થાનકિ લોકોના મતે રાત્રીના અંધકાર દરમિયાન જંગલ વિસ્તારમાં એક ઊંચો કદ્દાવર કાળા માથાનો માનવી ભટકતો જોવા મળે છે. અને આ અન્યકોઈ નહીં પરંતુ મહાબલી અશ્વત્થામાં જ છે. જે આજે પણ અહીં માખણેશ્વર મહાદેવની પૂજા કરવા માટે આવે છે.અશ્વસ્થામાં આજે પણ નર્મદા કિનારે આવેલા શૂલપાણેશ્વરના જંગલમાં ભટકે છે. અને જીવીત છે. આ વાત તમે માનો કે ન માનો પરંતુ અહીંના આદિવાસી લોકો આજે પણ માને છે. કારણ કે, અનેક આદિવાસી લોકોએ તેમની હયાતીનો અહેસાસ થયો છે. અનેક લોકોને રાત્રીના અંધકારમાં કાળામાથાનો માનવી જોયો છે.
શ્રીકૃષ્ણના શાપથી અશ્વત્થામા પીડિત
અશ્વત્થામાં જીવીત હોવાના પુવારા શોધતા-શોધતા અમે માથાવાળી ગામે પહોંચ્યા તો જાણવા મળ્યું કે. માથા વગરના માનવીના નામ પરથી આ ગામનું નામ માથાવાડી પડયું છે. અને આ માથા વગરનો માનવી અન્ય કોઈ નહીં પરંતુ આ વિસ્તારમાં 7 ફૂંટ ઉંચો અને માથા વગરનો હરતો ફરતો કદ્દાવર અશ્વત્થામા છે. સ્થાનકિ લોકોના મતે આ વિસ્તારમાં એક કદ્દાવાર માનવી ફરતો અને તેના માથા પર માંખો બણબણતી હતી. અને તે પોતાના માથા પરના ઘા માં રાહત મળે તે માટે માખણ માગતો હતો. આમ આ વિસ્તારમાં તે માણસ ફરતો રહેતો. અને તેના જ કારણે આ ગામનું નામ માથાવાડી પડયું છે.
માથા વગરના માનવીની અહીં હયાતી
જોકે હાલની તારીખે પણ એક એવી લોકવાયકા અહીં પ્રચલિત છે કે, અર્જૂનના વારથી અશ્વત્થામાના માથા પરની મણી નકિળી ગઈ હતી. અને એક ઊંડો ઘા તેના માથા પર થયો હતો. જેમાંથી આજે પણ લોહી નકિળે છે. અને તેની પીડામાંથી શાંતિ મેળવવા માટે અશ્વસ્થામાં શૂલપાણેશ્વરના જંગલ વિસ્તારના ગામડાઓમાં માખણ અને હડદર માગી રહ્યો હોવાના દાખલા મળે છે. જોકે અહીં માથાવાડીમાં અશ્વત્થામાએ એક તળાવ પણ બનાવેલું હતું. જેની માટીને પણ માખણની જેમ પવિત્ર માનવામાં આવે છે. અને લોકો તે માટી લેવા માટે માથાવાડી સુધી આવે છે.
શિવલિંગ પર રોજ સવારે ફૂલ-બીલીપત્ર જોવા મળે છે
માથાવાડી ગામથી નર્મદા નદીથી ચાર ફલાંગ દૂર આવેલી છે. અને આ માથાવાડી ગામથી નજીકમા બોરિયા ગામમાં માખણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. એવું કહેવાય છે કે અહીં ખુદ અશ્વસ્થામાએ તપ કરીને શિવશલગ સ્થાપીત કરી હતી. અને મંદિરની બાજુમાં આવેલું આખું તળાવ માખણથી ભરાઈ ગયું હતું. લોક વાયકા પ્રમાણે,આજે પણ અશ્વસ્થામાં નર્મદા નદીમાં સ્નાન કરીને માખણેશ્વ મહાદેવના દર્શને આવે છે. અને તળાવની માટી પોતાના માથા પર લગાવી ત્રૃપ્તિનો અહેસાસ કરે છે. જોકે ઘણી વખત રાત્રીના સમયે પણ મંદિરમાંથી ઘંટનો રણકાટ સંભળાય છે. એટલું જ નહીં પૂજારી જ્યારે રાત્રે મંદિર બંધ કરીને જાય છે. ત્યારે શિવશલગ પરથી ફૂલનો શણગાર ઉતારીને જાય છે. પરંતુ સવાલ મંદિરનો દરવાજો ખોલતા શિવશલગ પર તાજા ફૂલ અને બિલપત્ર જોવા મળે છે. જે પણ અહીં અશ્વત્થામાં જેટલું જ રહસ્યમઈ છે.
અશ્વત્થામાએ માખણેશ્વર શિવલિંગની સ્થાપના કરી હતી
અશ્વસ્થામાં અમર છે. કારણ કે, તેમને શિવજીનું વરદાન છે. પરંતુ મહાભારતના યુદ્ધમાં તેની એક ભૂલથી અમર જીવન શાપીત થઈ ગયું. અને આજે પણ તે શાપ સાથે શૂલપાણેશ્વરના જંગલોમાં ભટકી રહ્યા છે. જોકે આ લોકવાયકા છે. પરંતુ અહીંના લોકોના મતે આ એક હકીકત છે.