વિધાનસભામાં કાર્યવાહી દરમિયાન શનિવારે એક અભૂતપૂર્વ ઘટનામાં ભાજપના ધારાસભ્યો દ્વારા સ્પીકરની તરફ ચંપલ, ઇયરફોન્સ અને પેપર ફેંકવામાં આવ્યા હતા.
ઓડિશા વિધાનસભામાં બની ઘટના
ભાજપના ધારાસભ્યોએ ફેંક્યા જૂતાં ચંપલ
સ્પીકરે કહ્યું બધા પરિમાણોથી ઘટનાની તપાસ થશે
આ ઘટના ઓડિશા રાજ્યની વિધાનસભામાં બનવા પામી હતી, શનિવારે ભાજપના ધારાસભ્ય તરફથી ચંપલ, ઇયરફોન અને કાગળિયા વિધાનસભા અધ્યક્ષના પોડિયમની તરફ ફેંકવામાં આવી હતી, આ અંગે ભાજપ ધારાસભ્યની પ્રતિક્રિયા જાણવામાં આવતા તેમણે કહ્યું હતું કે તેમણે જે કઈં પણ કર્યું તે બરાબર જ હતું, જો કે સ્પીકરે કહ્યું હતું કે તે આ બનાવને બધા જ પરિમાણોથી તપાસશે.
ઓડિશા સરકારના મુખ્ય સચેતક પ્રમિલા મલ્લિકએ મીડિયાને જણાવ્યું હતું કે ઉપનેતા પ્રતિપક્ષ બિષ્ણુ સેઠી, MLA જયનારાયણ મિશ્ર અને વિપક્ષના મુખ્ય સચેતક મોહન માંઝીએ સ્પીકરના પોડિયમની તરફ ચંપલ, ઇયરફોન અને પેપર ફેંક્યા હતા. નોંધનીય છે કે એવું મનાઈ રહ્યું છે કે સ્પીકર સુરાજ્યા નારાયણ પાત્રોના કથિત વિરોધના રૂપે ભાજપના ધારાસભ્યો દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.
શું હતો વિવાદ?
વિધાનસભાની કાર્યવાહી દરમિયાન નાણાંમંત્રી નિરંજન પૂજારીએ કેગ રિપોર્ટ 2019-20ને રજૂ કર્યું હતું, અઆ દરમિયાન વિપક્ષી પાર્ટી કોંગ્રેસ તરફથી ગૃહની કાર્યવાહી સ્થગિત કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો, જેને સ્પીકરે સ્વીકાર્યું નહોતું, જેને લઈને વિપક્ષના ધારાસભ્યો રોષે ભરાયા હતા અને હોબાળો મચાવ્યો હતો. તેમણે એમ પણ આરોપ લગાવ્યો હતો કે ઓડિશા લોકાયુક્ત(સંશોધન) વિધેયક વગર ચર્ચાએ પસાર કરવામાં આવ્યું છે.
જે હોબાળાની વચ્ચે ભાજપના ધારાસભ્યો દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં ભાજપના બે ધારાસભ્યો મિશ્ર અને સેઠી પોતાની બેન્ચ પર ઊભા થઈ ગયા હતા સ્પીકર તરફ ચીજો ફેંકી હતી. જો કે પોતાની પ્રતિક્રિયામાં મિશ્રાએ કહ્યું હતું કે મે શું ફેંક્યું તે મને યાદ નથી, પણ મે જે કઈં પણ કર્યું તે યોગ્ય જ હતું કેમ કે સ્પીકર આવા વ્યવહારને જ યોગ્ય હતા. જો કે અન્ય એક ધારાસભ્ય સેઠીએ અઆ આરોપોનું ખંડન કર્યું હતું અને કહ્યું હતું કે મે ચંપલ નહીં, પણ માત્ર હેડફોન અને એક પેન ફેંકી હતી. જો કે આ રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ બંને વિપક્ષમા છે, પ કોંગ્રેસ વિધાયક દળના નેતા નરસિંહ મિશ્રાએ આ ઘટનાની નિંદા કરી હતી.