ચૂંટણીની મોસમમાં રાજકીય નિવેજનબાજીની વચ્ચે આજે ભાજપ પ્રવકતા જીવીએલ નરસિમ્હા રાવ પર છુટ્ટું જૂતું ફેંકાયું છે. રાવ અને ભુપેન્દ્ર યાદવ સાધ્વી પ્રજ્ઞા પર ભાજપ હેડક્વાર્ટરમાં પત્રકાર પરિષદ કરાઇ હતી. જ્યારે આ ઘટના બની હતી. જો કે જૂતું ફેંકનાર આ શખ્સને તરત જ સુરક્ષા કર્મચારીઓએ અરેસ્ટ કરી લીધો છે.
દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. તેની વચ્ચે વધુ એક વખત જુતાકાંડ સામે આવ્યું છે. દિલ્લીમાં ભાજપની પત્રકાર પરિષદ ચાલી રહી હતી. તે સમયે GVL નરસિમ્હા રાવ પર એક શખ્સે જુતુ ફેંક્યું હતું. જુતુ ફેંકનાર શખ્સનું નામ શક્તિ ભાર્ગવ હોવાનું સામે આવ્યું છે અને તેની ધરપકડ કરીને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
મહત્વનું છે કે, પત્રકાર પરિષદમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુર મામલે કોઈ વાત થઈ રહી હતી. તે સમયે આ શખ્સે જુતુ ફેંક્યું હતું. તો GVL નરસિમ્હા રાવ પણ બાલ બાલ બચ્યા હતા અને તેમને જુતુ વાગતા રહી ગયું હતું. ઝડપાયેલ શખ્સ કાનપુરનો રહેવાસી છે અને હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
#WATCH Delhi: Shoe hurled at BJP MP GVL Narasimha Rao during a press conference at BJP HQs .More details awaited pic.twitter.com/7WKBWbGL3r
જૂતું ફેંકયાની ઘટના બાદ પણ ભાજપ પ્રવકતા રાવ સંયમિત દેખાયા અને કોઇપણ આક્રમક પ્રતિક્રિયા કરી નહીં. તેમણે આગળ પોતાની વાત ચાલુ રાખી. આ ઘટના પર ભાજપ પ્રવકતા નલિન કોહલીએ કહ્યું જે પણ શખ્સે આ કર્યું અને જો કોઇના કહેવા પર કર્યું છે તો તે ખૂબ જ દુ:ખદ છે. આ અમર્યાદિત આચરણ છે અને લોકતંત્રમાં તેના માટે કોઇ જગ્યા નથી. જોકે જુતુ ફેંકનાર વ્યક્તિની ધરપકડ કરીને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
ક્યારે અને કોની પર ફેંકાયુ જૂતુ ?
- 20 નવેમ્બર, દિલ્લીમાં અરવિંદ કેજરીવાલ પર ફેંકાયુ હતુ જૂતુ
- 2016માં કોંગ્રેસ નેતા નવીન જિંદગ પર ફેંકાયુ હતું જૂતુ
- 28 જાન્યુઆરી 2016માં નીતિશ કુમાર પર ફેંકાયુ હતું જૂતુ
- 5 જાન્યુઆરી, 2015માં જીતન રામ માંજી પર ફેંકાયુ હતું જૂતુ
- 15 ઓગસ્ટ, 2014માં પ્રકાશ સિંહ બાદલ પર પણ ફેંકાયુ હતુ જૂતુ
- 2009માં પત્રકાર પરિષદ દરમિયાન પી.ચિદમ્બર પર ફેંકાયુ હતું જૂતુ
- 28 એપ્રિલ, 2009માં યેદિયુરપ્પા પર ફેંકાયુ હતું ચપ્પલ
- 2018માં ઓડિશાના CM નવીન પટનાયક પર ફેંકાયુ હતું જૂતુ