યુપીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ઓવૌસી પર કરવામાં આવેલા ફાયરીંગની ઘટનામાં બંને આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે. જો કે, તેમણે ઓવૈસીને ઠાર કરવા માટે કેવી રીતે પ્લાન બનાવ્યો હતો, તેના વિશેની કબૂલાત પોલીસની સામે કરી છે.
ઓવૈસી પર હુમલો કરનારા આરોપીઓ કર્યો મોટો ખુલાસો
ક્યાં બનાવ્યો હતો પ્લાન, કેટલી વાર ગયા નિષ્ફળ
પોલીસે દરેક વાતની કરાવી કબૂલાત
ઓવૈસીએ મને ગોળી મારતા જોઈ લીધો અને તે નીચે ઝૂકી ગયા. ત્યારે મેં તેમની ગાડી પર નીચેના ભાગે ગોળીઓ મારી. મને એવી આશા હતી કે, ઓવૈસી મરી જશે. ઓવૈસીની કાર પર ફાયરીંગ કરનારા આરોપીનું આ નિવેદન છે.
બે લોકોની કરવામાં આવી હતી ધરપકડ
3 ફેબ્રુઆરીએ ઓલ ઈંડિયા મજલિસે ઈત્તેહાદુલ મુસ્લમિનના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ સારા સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે સમર્થરો પ્રાર્થના કરી રહ્યા હતા. ઓવૈસી પર હુમલા મામલે અધિક પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, આરોપી સચિન પંડિતે ફાયરીંગ કર્યું હતું અને તેમની પાસે 9 એમએમની પિસ્તૌલ મળી છે. આ મામલામાં પોલીસે સચિન અને શુભમની ધરપકડ કરી લીધી છે.
આ ઘટના બાદ અસદુદ્દીન ઓવૌસીએ કહ્યું હતું કે, હું મરવાથી નથી ડરતો, મારા પર હુમલો એટલા માટે કરવામા આવ્યો કારણ કે, હું આપની વિરુદ્ધ બોલું છું. તેમણે કહ્યું કે, જો એક ઓવૈસી મરી જશે તો આ દેશમાં લાખો ઓવૈસી બીજા જન્મ લેશે. મને તમારી ગોળીઓથી ડર નથી લાગતો.
આરોપીએ કર્યો મોટો ખુલાસો- મને એમ હતું કે....
એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર સચિને પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, જેવી ઓવૈસીની ગાડી છિઝારસી ટોલ નાકા પર પહોંચી તો તેને ગાડી ધીમે ધીમે પસાર થઈ રહી હતી. ત્યારે મેં સચિન અને શુભમની સાથે ઓવૈસીને જાનથી મારી નાખવા માટે તેમની કારને ટાર્ગેટ બનાવીને ગોળીઓ ચલાવી. મેં જેવી પહેલી ગોળી ચલાવી તો, ઓવૈસીએ મને ગોળી ચલાવતા જોઈ લીધો અને તે પોતાનો જીવ બચાવવા માટે કારની નીચે તરફ ઝૂકી ગયા. ત્યારે મેં તેમની કારની નીચેના ભાગે ગોળી ચલાવી. મને વિશ્વાસ હતો કે, ઓવૈસી મરી જશે. સાથે જ તેણે એવુ પણ કહ્યુ કે, તેને નહોતી ખબર કે, શુભમે કેટલી ગોળીઓ ચલાવી, ત્યાર બાદ બંને અલગ અલગ દિશામાં ભાગવા લાગ્યા હતાં.
મને ઓવૈસીથી નફરત છે, તેના ભાષણો રાષ્ટ્રવિરોધી હોય છે- આરોપી
પોલીસે FIRમાં એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે, બંને આરોપીઓ શરૂઆતમાં સંતોષજનક જવાબ નહોતા આપી રહ્યા. જ્યારે તેમને કહ્યું કે, આખી ઘટનાના સીસીટીવી ફુટેજ છે. તો સચિન માફી માગવા લાગ્યો. આખી ઘટના વિશે જાણકારી આપી. પ્લાન બનાવ્યો ત્યાંથી લઈને પ્લાન પુરો કરવાનો હતો ત્યાં સુધી આખી જાણકારી આપી દીધી. આરોપી સચિને પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, હું એક મોટો નેતા બનવા માગું છું. પોતાની જાતને એક દેશભક્ત કહેવડાવું છું. મને ઓવૈસીના ભાષણો રાષ્ટ્રવિરોધી લાગે છે. મારા મનમાં તેના વિશે નફરત ભરેલી છે. પોલીસને તેણે જણાવ્યું કે, તે ઓવૈસીના કાર્યક્રમ પહેલા તે ડાસનાના ઓવૈસીની પાર્ટીના નેતાના સંપર્કમાં આવ્યા હતા અને તેની પાસેથી કાર્યક્રમ અંગેની તમામ જાણકારી મેળવી લીધી હતી. ત્યારે જ તેણે નક્કી કરી લીધું હતું કે, પ્રચાર દરમિયાન એવૈસી પર તે હુમલો કરશે. આ પ્લાનને સફળ બનાવવા માટે સહારપુરના શુભમનો સંપર્ક કર્યો. શુભમ સચિનને લાંબા સમયથી જાણે છે .
FIRમાં નોંધાયેલા નિવેદન અનુસાર સચિને જણાવ્યું કે, ઓવૈસી પર હુમલાની યોજના બનાવ્યા બાદ તેણે શુભમને ફોન કર્યો. શુભમ 28 જાન્યુઆરીએ ગાજિયાબાદ આવ્યો અને અમે બંને વેબ સિટી પાસે મળ્યા. શુભમે પોતાના દોસ્ત સાથે રહેતો હતો. અમે બંનેએ મળીને ઓવૈસીને મારવાનો નિર્ણય કર્યો અને યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા હતા.
અગાઉ કેટલીય વાર પ્લાન કેન્સલ થયાં, અંતે મોકો મળ્યો અને કરી દીધો હુમલો
પ્લાન મુજબ સચિન અને શુભમ 30 જાન્યુઆરી ગાઝિયાબાદના શહીદ નગર પહોંચ્યા હતા. જ્યાં ઓવૈસીની જાહેરસભામાં થઈ રહી હતી. તે જ દિવસે યોજના પાર પાડવાનો પ્લાન હતો. પણ ભીડના કારણે આ નિર્ણય ટાળી દેવામાં આવ્યો હતો. પોલીસની સામે આપેલા નિવેદનમાં સચિને એ વાતનો પણ ખુલાસો કર્યો કે, પહેલો પ્લાન ફેલ થયા બાદ મેરઠના ગોળા કુંઆમાં પણ ગયા. પણ ભીડ હોવાના કારણે ફરી એક વાર આ પ્લાન કેન્સલ થયો. ઓવૈસીને પતાવી દેવા માટે કિઠૌરવાળી સભામાં પણ ગયા. જો કે, ત્યાં પણ ભીડ હોવાના કારણે આ પ્લાન સક્સેસ થયો નહીં. ત્યારે બંનેને જાણ થઈ કે, ઓવૈસી સફેદ કલરની એસયુવીમાં દિલ્હી જઈ રહ્યા છે. એફઆઈઆરમાં જણાવ્યા અનુસાર પ્રાપ્ત વિગતોથી જાણવા મળે છે કે, બંનેએ ત્યારે જ પ્લાન બનાવી નાખ્યો અને નિર્ણય કર્યો કે, આજે જ પતાવી દેવાના છે, કેમ કે પછી આવો મોકો મળશે નહીં.