GTU સંલગ્ન કોલેજોના એકેડેમિક ઓડિટ જાણવા મળ્યું કે, 30 જેટલી એન્જિનિયરિંગ કોલેજોમાં આચાર્યનું પદ ખાલી, 18 ફાર્મસી અને 36 ડિપ્લોમા કોલેજમાં પણ આચાર્ય નહીં
GTU સંલગ્ન કોલેજોનું કરાવ્યું એકેડેમિક ઓડિટ
એકેડેમિક ઓડિટમાં કોલેજોમાં આચાર્ય ના હોવાનું આવ્યું સામે
30 એન્જિનિયરીંગ કોલેજોમાં આચાર્ય જ નહી
ગુજરાત ટેકનીકલ યુનીવર્સીટી સંલગ્ન કોલેજોમાં પૂરતા પ્રમાણમાં આચાર્ય ન હોવાની બાબતો સામે આવી રહી છે. નવું શૈક્ષણિક સત્ર શરુ થાય એ પૂર્વે જીટીયુ દ્વારા સંલગ્ન કોલેજોમાં એકેડેમિક ઓડીટ કરાવવામાં આવ્યું, જેમાં ચોંકાવનાર બાબતો સામે આવી છે. જે મુજબ 130 એન્જીનીયરિંગ કોલેજો પૈકી 30 એન્જીનિયરિંગ કોલેજોમાં આચાર્ય જ ન હોવાની બાબત સામે આવી છે. તો 18 ફાર્મસી અને 36 ડીપ્લોમા કોલેજોમાં પણ આજ પ્રકારની સ્થિતિ છે કે, જ્યાં આચાર્ય નથી. આચાર્ય વગર જ જે કોલેજો ચાલી રહી છે. તેમની સામે કાર્યવાહી કરવા માટે જીટીયુએ મન બનાવ્યું છે. જે મુજબ એઆઈસીસીની ગાઈડલાઈન મુજબ કાર્યવાહી કરવામાં આવશે. જેમાં જે કોલેજોમાં 18 મહિનાથી વધુ સમય સુધી આચાર્ય નહિ હોય તેમની સામે નિયમ મુજબ ૫૦ ટકા બેઠકો ઘટાડવાનો પ્રવેશ સમિતિમાં પ્રસ્તાવ કરવામાં આવશે.
30 એન્જીનીયરીંગ કોલેજોમાં આચાર્ય જ નહિ
18 ફાર્મસી, 36 ડીપ્લોમામાં પણ આચાર્ય નહિ
જે કોલેજો પાસે આચાર્ય નથી એમની સામે કાર્યવાહી
એઆઈસીસીની ગાઈડલાઈન મુજબ થશે કાર્યવાહી
18 મહિનાથી વધુ સમય સુધી આચાર્ય નહિ હોય તો કાર્યવાહી
નિયમ મુજબ 50 ટકા બેઠકો ઘટાડવાનો પ્રવેશ સમિતિ નિર્ણય લઈ શકે