કેનેડાની સ્વાસ્થ એજન્સી દ્વારા 6200 કોરોના પોઝિટીવ બાળકો પર રિસર્ચ કરવામાં આવ્યું. જે રિસર્ચમાં સામે આવ્યું કે 3 વર્ષથી નાની ઉંમરના પોઝિટીવ બાળકો સૌથી વધારે સંક્રમણ ફેલાવે છે.
કેનેડાની સ્વાસ્થ્ય એજન્સીએ કર્યુ ચોંકવનારુ રિસર્ચ
3 વર્ષથી નાની ઉંમરના બાળકોથી સંક્રમણ વધારે ફેલાય છે
6200 પોઝિટીવ બાળકો પર રિસર્ચ કરવામાં આવ્યું
કોરોનાની ત્રીજી લહેરને લઈને પહેલાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયેલો છે. ત્યારે આવા સમયે એક ચોંકાનારુ રિસર્ત સામે આવ્યુ છે. રિસર્ચમાં એવું સામે આવ્યું છે કે જો 3 વર્ષથી ઓછી ઉંમરના બાળકે કોરોનાથી સંક્રમિત થાય તો ઘરના અન્ય સભ્યોમાં સંક્રમણ ઝડપથી ફેલાઈ શકે છે.
3 વર્ષના બાળકો વધારે સંક્રમણ ફેલાઈ શકે છે
કેનેડાની સ્વાસ્થ્ય એજન્સી પબ્લિક હેલ્થના કરેલા રિસર્ચ દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે. રિસર્ચમાં એવું સામે આવ્યું છે છે કે 14 થી 17 વર્ષના બાળકોની સરખામણીએ 3 વર્ષના બાળકને જો કોરોના થાય તો ઘરના અન્ય સભ્યોમાં સંક્રમણ ફેલાવાનો ખતરો 1,4 ટકા જેટલો વધી જતો હોય છે. જેથી આ મુદ્દો એક ચિંતાનો વિષય કહી શકાય.
40 થી 60 વર્ષના લોકો પહેલા સંક્રમણનો ભોગ બની શકે
ઓછી ઉમરના બાળકો 20 થી 40 ઉંમરના વ્યક્તિઓની સરખામણીએ વધારે સંક્રમણ ફેલાવી શકે છે. ખાસ કરીને તેમના દ્વારા 40 થી 60 વર્ષના લોકો પહેલા સંક્રમણનો ભોગ બનતા હોય છે. આ રિસર્ચ સામે આવ્યા બાદ લોકો ચોંકી ગયા છે. કારણકે પહેલાથી ભારતમાં ત્રીજી લહેરને લઈને ભયનો માહોલ ફેલાયેલો છે.
6200 પોઝિટીવ બાળકો પર રિસર્ચ કરવામાં આવ્યું
વૈજ્ઞાનિકોએ કોરોના સંક્રમણનો ભોગ બનેલા અલગ અલગ 6200 બાળકો પર રિસર્ચ કર્યું હતું. જેમા 3 વર્ષથી ઓછી ઉંમરના 766 બાળકો હતો. જેમના દ્વારા સૌથી વધારે સંક્રમણ ફેલાયું હતું. જોકે વૈજ્ઞનિકોનું કહેવું છે કે બાળકો થકી મોટા લોકોમાં જલ્દી સંક્રમણ નતી ફેલાતું. પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે.
ત્રીજી લહેરને લઈને ભયનો માહોલ
ઉલ્લેખનીય છે કે હાલ દેશમાં કોરોનાને કેસ ઓછા તઈ ગયા છે. પરંતુ જોખમ હજું ટળ્યું છે. કોરોનાની ત્રીજી લહેરને લઈને પહેલાથી લોકો ડરના માહોલમાં જીવી રહ્યા છે. ત્યારે માસ્ક અને સોશિયલ ડિસટન્સીંગ જેવી ગાઈડલાઈનનું આપણે ચુસ્તપણે પાલન કરવું જોઈએ જેથી ત્રીજી લહેરને મ્હાત આપી શકાય.