કોરોના વાયરસ રોગચાળાને લઈને જ્યાં ભારત સહિત સમગ્ર દુનિયા ત્રસ્ત છે ત્યારે મેડિકલ જર્નલની દુનિયામાં સૌથી પ્રમુખમાંથી એક ગણાતી lancet જર્નલએ તેના એક રિપોર્ટમાં ભારતમાં લોકોના મોતને લઈને જે કારણ આપ્યું છે તે ઘણું ચોંકાવનારૂ છે.
2017 માં આ આંકડો 12 લાખ 40 હજાર જેટલો હતો જે કુલ મોતના 12.5 ટકા
છેલ્લા અમુક સમયથી ભારતમાં સૌથી વિકટ બની રહ્યો છે પર્યાવરણનો પ્રશ્ન
મેડિકલ જર્નલ lancet ના મંગળવારે જાહેર થયેલા રિપોર્ટ પ્રમાણે વર્ષ 2019 માં ભારતમાં વાયુ પ્રદૂષણને લીધે લગભગ 16 લાખ 70 હજાર લોકોના મોત થયા હતા, જે 2017 ના 12 લાખ 40 હજારના કુલ મોતના આંકડાઓ કરતાં ઘણો વધુ છે. આ માહિતી lancet એ મંગળવારે જાહેર કરેલાએક રિપોર્ટમાં કહી હતી.
2019 ના કુલ મોતમાં વાયુ પ્રદૂષણને લઈને થનારા મોતનું પ્રમાણ 18 ટકા, જે 2017 માં 12.5 ટકા હતું
હાલમાં ભારત સહિત સમગ્ર દુનિયામાં કોરોના મહામારી નો ડર છવાયેલો છે, ભારતમાં અત્યાર સુધી આ વાયરસને લઈને 1 લાખ 46 હજાર જેટલા લોકોના મોત થઇ ચૂક્યા છે જો કે મેડિકલ જર્નલ લાન્સેટના રિપોર્ટમાં જે વાત સામે આવી છે તે વધુ ચોંકાવનારી છે, તેમાં કહેવામાં આવ્યું છે કે ઝેરી હવા અને વાયુ પ્રદુષણ ને લઈને ભારતમાં 2019 માં કુલ 16 લાખ 70 હજાર જેટલા લોકોના મોત થયા હતા અને આ આંકડો કોરોના થકી થયેલા મોત કરતા ઘણો વધારે છે અને તેનું પ્રમાણ 2019 માં કુલ મોતની સંખ્યાના 18 ટકા જેટલું છે.
2017 માં પણ વાયુ પ્રદુષણને લઈને મોતનો આંકડો ઘણો જ વધારે હતો, આ આંકડો 12 લાખ 40 હજાર જેટલો હતો અને માત્ર બે જ વર્ષમાં ઝેરી હવા ના લીધે થનારા મોતના આંકડામાં 4 લાખથી વધુનો વધારો થઇ ગયો છે જે એક ચિંતાજનક બાબત છે અને કુલ મોતના પ્રમાણમાં 12.5 ટકાની જગ્યાએ આ વધારો 18 ટકા જેટલો થઇ ગયો છે જે એક સિરિયસ બાબત છે.
વાયુ પ્રદૂષણના લીધે જીડીપીમાં પણ થાય છે નુકસાન
આ અંગેના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે પ્રદૂષણને કારણે ક્રોનિક અવરોધક પલ્મોનરી રોગો, શ્વસન માર્ગના ચેપ, ફેફસાના કેન્સર, હૃદયરોગ, સ્ટ્રોક, ડાયાબિટીઝ, નવજાત ડિસઓર્ડર અને મોતિયા જેવી સમસ્યાઓ થાય છે. 2019 માં પ્રદૂષણને કારણે થયેલા મોતને કારણે ભારતને આર્થિક ફટકો પણ પડ્યો છે. રિપોર્ટ અનુસાર આ વર્ષે ભારતના જીડીપીમાં આ વાતને1.36 ટકાનું નુકસાન થયું છે.