જાણીતા પંજાબી સિંગર દિલજાનના ફેન્સને એક મોટો ઝટકો લાગ્યો છે. તેનું રોડ અકસ્માતમાં નિધન થઈ ગયું છે.
જાણીતા પંજાબી સિંગર દિલજાનનું થયું નિધન
રોડ અકસ્માતમાં સિંગરે ગુમાવી જાન
મંગળવારે સવારે 3.45 વાગ્યાની આસપાસ થયું નિધન
તમને જણાવી દઈએ કે, દિલજાનનું નિધન મંગળવારે સવારે 3.45 વાગ્યાની આસપાસ થયું છે. એવું કહેવાય રહ્યું છે કે એક રોડ અકસ્માતમાં દિલજાનનું નિધન થયું છે. તેના અચાનક અવસાનથી બધાં જ હેરાન છે.
સમાચાર અનુસાર, દિલજાનનું મોત એક રોડઅકસ્માતમાં થયું છે. સિંગર વહેલી સવારે તેની કારમાં અમૃતસરથી કરતારપુર જઈ રહ્યો હતો. આ દરમિયાન જાંડિયાલા ગુરુ પાસે અકસ્માત સર્જાયો અને સિંગરનું મોત નીપજ્યું હતું. સિંગર કરતારપુરનો રહેવાસી હતો. તેના અચાનક મોતથી ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ અકસ્માત તેની કારની ટક્કર ડિવાઇડર થવાને કારણે થયો છે.
સમાચારો અનુસાર દિલજનની કાર અમૃતસર-જલંધર જીટી રોડ પર જંડિયાલા ગુરુ બ્રિજ પાસે ડિવાઇડર સાથે અથડાઇ હતી અને તેનું મોત નીપજ્યું હતું. હવે પોલીસ ઘટના સ્થળે પહોંચી ડેડ બોડીને કબ્જે કરી પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે.
અકસ્માત કયા કારણોથી થયો તેની તપાસ કરવામાં આવી રહી છે. દિલજાન મંગળવારની વહેલી સવારે અમૃતસરથી કરતારપુર તરફ પોતાની કારથી નીકળી રહ્યો હતો, એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની કાર ફુલ સ્પીડમાં હતી અને પુલ નજીક પહોંચતી વખતે કાર પર નિયંત્રણ ગુમાવતા કાર ડિવાઇડરને ટકરાઈ ગઈ અને પલટી ગઈ હતી. અકસ્માત બાદ સિંગરને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં પહોંચતા પહેલાં દિલજાનનું મોત નીપજ્યું હતું.
દિલજનનું નવું ગીત 2 એપ્રિલે રિલીઝ થવાનું હતું. જેને લઈને તે સોમવારે પોતાની કારમાં મીટિંગ માટે અમૃતસર ગયો હતો, જ્યાંથી પરત ફરતી વખતે આ અકસ્માત થયો હતો. જે સમયે આ દુર્ઘટના બની તે સમયે દિલજાન કારમાં એકલો જ હતો.