દાહોદથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. એક છ સંતાનોની માતા એવી આધેડ વયની મહિલા 14 વર્ષના કિશોરને ભગાડી ગઈ હોવાની ફરિયાદ મળી હતી. કહાનીમા બાદમાં જો કે બીજો ટ્વીસ્ટ આવ્યો હતો.
દાહોદ જિલ્લામાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. દાહોદમાં 6 સંતાનની માતા 14 વર્ષના કિશોરને ભગાડી જવાનો મામલો સામે આવ્યો છે.
ફતેહપુરની 35થી 40 વર્ષની 6 સંતાનની માતા પતિના મિત્રના દીકરાને ભગાડી ગઇ હતી . આ મહિલા સુખસર આવી હતી અને કિશોરને ફગાડી ગઇ હતી.
ગાંધીનગરથી ઝડપ્યા
જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે પરિવાર સહિતના કેટલાક લોકો શોધવા નીકળ્યા હતાં અને આખરે પરિવારજનોએ પરિણીતા-કિશોરને ગાંધીનગરથી ઝડપ્યા હતા.
ફરીથી ભાગી ગયા
લોકો જ્યારે તેમની ભાળ મળતા પરત લાવી રહ્યા હતા ત્યારે પકડીને પરત લાવતા સમયે બંને ફરી સંતરામપુરથી ફરાર થયા હતા. જેને લઇ કિશોરના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરાર થયેલી મહિલાની એક દીકરીના લગ્ન પણ થઇ ચૂક્યા છે.
પુખ્ત વયનો હોવાનો દાવો
જ્યારે કિશોર પોતે પણ પુખ્તવયનો હોવાનો દાવો કરે છે. સમગ્ર ઘટના બાદ દીકરાએ પિતાને ફોન કરીને પોતાનો જન્મ 1997માં થયાનું કહે છે. જ્યારે આધારકાર્ડમાં દીકરાની જન્મ તારીખમાં 2007નો ઉલ્લેખ કરાયો છે. જો કે કિશોરના પિતાએ પોતે જ પોલીસ ફરિયાદ નોંધાવી હોવાથી કહાનીમાં હજુ ટ્વીસ્ટ આવે તેવી સંભાવના છે.