જીવનમાં સંકટ ગમે તેટલુ મોટુ હોય. પરંતુ તેનો સામનો હસીને અથવા અડગ રહીને કરવો જોઈએ. ફિલીપાઈન્સમાં તોફાન રાયે ભીષણ તબાહી સર્જયા બાદ આ તસ્વીરો ડરાવી રહી છે. પરંતુ જે રીતે બરબાદ થયેલા ઘરની વચોવચ બાળકો જોવા મળી રહ્યાં છે. તે લોકોની તાકાત વધારે છે. ઉલ્લેખનીય છે કે, આ ગંભીર આફતમાં 208થી વધુ લોકોના મોત થયા છે.
ફિલીપાઈન્સમાં તોફાન રાયે ભીષણ તબાહી સર્જી
આ ગંભીર વાવાઝોડાંમાં 208થી વધુ લોકોના મોત
તોફાન રાયના કારણે 3 લાખથી વધુ લોકો બેઘર થયા
તોફાન રાયનો પ્રાકૃતિક પ્રકોપ
મોટી સંખ્યામાં લોકો ગુમ પણ થયા છે. નેશનલ પોલીસે 20 ડિસેમ્બરે જણાવ્યું કે તોફાન રાય આ વર્ષનું સૌથી ભયંકર પ્રાકૃતિક તોફાન રહ્યું છે. તોફાનને કારણે 3 લાખથી વધુ લોકો બેઘર થયા છે. દરિયા કિનારે રહેનારા લોકોએ પોતાનું ઘર છોડીને ભાગવુ પડ્યુ. ઘર, હોસ્પિટલ અને સ્કૂલ બધુ બરબાદ થઇ ગયુ. તોફાને 16 અને 17 ડિસેમ્બરે ફિલીપાઈન્સને પોતાની ઝપેટમાં લઇ લીધુ. જ્યારે તોફાન બંધ થયા બાદ 19 ડિસેમ્બરથી રાહત કાર્ય શરુ થયુ.
અત્યાર સુધી 3 થી 4 અબજ રૂપિયાના નુકસાનનો અંદાજ
તોફાન રાયની તુલના 2013માં આવેલા સુપર ટાઈફૂન હૈયાન સાથે કરાઈ રહી છે. હૈયાન ફિલીપાઈન્સનું સૌથી ખતરનાક વાવાઝોડું મનાય છે. જેમાં 7300થી વધુ લોકો મોતને ભેટ્યા છે. PNP પ્રમુખ જનરલ ડિયોનાર્ડો કાર્લોસ દ્વારા મોકલવામાં આવેલા એક રિપોર્ટ મુજબ, સેન્ટ્રલ વિયાયમાં સૌથી વધુ 129 લોકોને અસર થઇ. ત્યારબાદ પશ્ચિમી વિસાયમાં 22, કારાગામાં 10, ઉત્તરી મિંડાનાઓમાં 7 અને જામ્બોઆંગા દ્વિપકલ્પમાં 1ને જાનહાનિ થઈ. બોહોલના ગવર્નર આર્થર યાપે કહ્યું કે અત્યાર સુધી અંદાજે 3 થી 4 અબજ રૂપિયાના નુકસાનનો અંદાજ છે. જેમાં મૂળભુત ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ કરાયો નથી.
લગભગ 3 લાખ લોકોએ ઘર છોડવુ પડ્યુ
તોફાન રાયને લઇને હવામાન વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે આ જળવાયુ સંકટનું સૌથી મોટું સ્વરૂપ છે. લગભગ 3 લાખ લોકોએ ઘર છોડવુ પડ્યુ છે. તોફાનની ભયાનકતાનો અંદાજ આ વાત પરથી લગાવી શકાય છે કે સિરગાઓ, દીનાગટ અને મિંડાનાઓ ટાપુ પર ભારે વિનાશ થયો છે. આ વિસ્તારમાં તોફાન દરમ્યાન હવાની ગતિ 195 કિલોમીટર પ્રતિ કલાક હતી. ઉલ્લેખનીય છે કે, ફિલીપાઈન્સમાં દર વર્ષે લગભગ 20 ભયંકર તોફાન આવે છે. પરંતુ આ ભયંકર તોફાન એક-બે હોય છે. પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી અહીં ભયંકર તોફાન આવવા લાગ્યા છે.