પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર ઘણા સમયથી ભારત પર નિવેદન આપીને ચર્ચામાં રહે છે. કોરોના વાયરસના સંક્રમણમાં પણ તેમણે ભારતને લગતા નિવેદનો કર્યા બાદ હવે સોશિયલ મીડિયામાં ટ્રોલ થઇ રહ્યા છે. એટલું જ નહીં ટૂંક સમય પહેલાં કપિલદેવે પણ તેમને જડબાતોડ જવાબ આપ્યો હતો.
સોશિયલ મીડિયામાં ટ્રોલ શોએબ અખ્તર
લોકોએ કહ્યું નરેન્દ્ર મોદીને પોતાના વડાપ્રધાન માની લો
કપિલદેવે આપ્યો જડબાતોડ જવાબ
શોએબ અખ્તરે હાલમાં જ કોરોના વાયરસના કારણે ભારત પાકિસ્તાનની વન ડે સીરીઝ કરાવવાની માંગણી કરી હતી. તથા તે સીરીઝની કમાણીથી કોરોના વાયરસ સામે લડત લડવા માટે સલાહ આપી હતી. ભારતને લઈને નિવેદન આપતાં હોય છે જેના પર કપિલદેવે જડબાતોડ જવાબ આપ્યો હતો. તેમણે અખ્યું હતું કે ભારતને પૈસાની જરૂર નથી.
ભારત પાસે કરી આ માંગણી
આ સિવાય અખ્તરે ભારત પાસેથી પાકિસ્તાન માટે દસ હજાર વેન્ટિલેટરની માંગણી કરી હતી. જે બાદ સોશિયલ મીડિયા પર તેમની ખૂબ ટિકા કરવામાં આવી. લોકોએ કહ્યું હતું કે આ વાત વડાપ્રધાન ઈમરાન ખાને કરવી જોઈએ. જેના થોડા સમય બાદ અખ્તરે યુટ્યુબમાં કહ્યું હતું કે આ સમય યુદ્ધ લડવાનો નથી. આપણે ડીફેન્સમાં વધુ ખર્ચ કરવાને બદલે સ્વાસ્થ્ય સુવિધાઓ પર ખર્ચ કરવાની જરૂર છે. તેમણે એમ પણ કહ્યું કે ભારત અને પાકિસ્તાને સાથે મળીને કામ કરવાની જરૂર છે.
સોશિયલ મીડિયામાં થયા ટ્રોલ
અખ્તરના આવા નિવેદન પર તે ખૂબ ટ્રોલ થાય છે હાલમાં જ એક દર્શકે કહ્યું કે બંને એ એક જ થવાનું છે કે પાકિસ્તાનને પણ હિન્દુસ્તાન બનાવી દો, અને નરેન્દ્ર મોદીને પોતાના વડાપ્રધાન માની લો. એક દર્શકે લખ્યું કે અખ્તરને લાગે છે કે દુનિયામાં ભારત જ પાકિસ્તાનને બચાવી શકે છે. જ્યારે બીજા એક દર્શકે કહ્યું કે પાકિસ્તાનીઓનો ક્યારેય વિશ્વાસ કરવો નહી.
કપિલદેવનાં નિવેદન પર અખ્તરે કહ્યું કે મને નથી લાગતું કે કપિલભાઈ સમજી શક્યા જે હું કહેવા માંગતો હતો. બધા જ આર્થિક રૂપે ફસાઈ ગયા છે. કપિલે કહ્યું કે તેમને પૈસાની જરૂર નથી, કદાચ તેમને નહી હોય પરંતુ બીજાને છે. મારા વિચારથી મારી સલાહ પર કંઇક કરવું જોઈએ.