પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તરે કહ્યું છે કે વિરાટે પોતાની ઉર્જા હવે ક્રિકેટના મોટા ફોર્મેટમાં લગાવવી જોઈએ.
પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તરનુ નિવેદન
વિરાટ કોહલીએ પોતાની ઉર્જા હવે ક્રિકેટના મોટા ફોર્મેટમાં લગાવવી જોઈએ
વિરાટે તેની કારકિર્દીની સૌથી મોટી ઈનિંગ પાકિસ્તાન સામે રમી
વિરાટ નાના ફોર્મેટની જગ્યાએ મોટા ફોર્મેટ પર કામ કરે: અખ્તર
પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર ઈચ્છે છે કે વિરાટ કોહલીએ હવે ટી 20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લેવો જોઈએ. તેમનુ માનવુ છે કે વિરાટને ક્રિકેટના આ સૌથી નાના ફોર્મેટની જગ્યાએ બીજા ફોર્મેટ પર પોતાની સકારાત્મક ઉર્જા વાપરવી જોઈએ.
વિરાટે વિસ્ફોટની સાથે કરી વાપસી: અખ્તર
પોતાની યુ-ટ્યુબ ચેનલ પર શોએબે કહ્યું, મને લાગે છે કે વિરાટે તેની કારકિર્દીની સૌથી મોટી ઈનિંગ પાકિસ્તાન સામે રમી છે. તેઓ આવુ કરી શક્યા કારણકે તેમને પોતાની પર વિશ્વાસ હતો કે તેઓ આમ કરી શકે છે. તેમણે વિસ્ફોટની સાથે વાપસી કરી છે. હું ઈચ્છુ છુ કે હવે તેઓ ટી 20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લે. હું ઈચ્છતો નથી કે તેઓ પોતાની સંપૂર્ણ ઉર્જા ટી 20 ક્રિકેટમાં વાપરે. જે રીતે તેમણે પાકિસ્તાન સામે પર્ફોમન્સ બતાવ્યું છે, તેવા પર્ફોમન્સ સાથે તેઓ વન-ડેમાં પણ ધૂમ મચાવી શકે છે.
વિરાટે પાકિસ્તાન સામેની મેચમાં 82 રન બનાવ્યાં હતા
વિરાટ કોહલીએ ટી20 વર્લ્ડ કપ 2022માં રવિવારે રમાયેલ મેચમાં પાકિસ્તાન સામે 53 બોલમાં તાબડતોબ 82 રન બનાવ્યાં હતા. તેમની આ ઈનિંગના કારણે ભારતીય ટીમ અશક્ય લાગી રહેલી બાજી જીતવામાં સફળ રહી હતી. વિરાટની આ ધુંઆધાર ઈનિંગના શોએબ અખ્તરે ખૂબ વખાણ કર્યા છે.