હંમેશા પોતાના નિવેદનથી વિવાદ જગાવતા પ્રખ્યાત પાકિસ્તાની પૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તરે પાકિસ્તાની ક્રિકેટ ટીમ માટે ટીમ ઇન્ડિયા પાસે મદદ માંગી છે. અખ્તરે કહ્યું કે વર્લ્ડકપમાં પાકિસ્તાનના સારા ભવિષ્ય માટે ભારતે અમારી મદદ કરવી પડશે. સાથે જ દાવો કર્યો કે જો ભારત મદદ કરે છે તો સેમીફાઇનલમાં ભારત અને પાકિસ્તાનનો મુકાબલો નક્કી છે.
એમણે કહ્યું કે ભારતે અમારાી મદદ કરવી પડશે, કેમકે પાકિસ્તાન ત્યારે જ આગળ જઇ શકે છે જ્યારે ઇંગ્લેન્ડ મેચ હારે. એમણે કહ્યું કે, ભારતે ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડની ટીમને હરાવવી પડશે.
ન્યૂઝીલેન્ડની ટીમ પણ ખતરામાં છે. 11 પોઇન્ટ અને પ્લસ રન રેટ સાથે સેમીફાઇનલની ખુબ જ નજીક નજરે પડી રહી છે પરંતુ જો તે બે મેચ હારી જાય છે તો રનરેટ ધ્યાનમાં લેવાશે, એવામાં પાકિસ્તાન પાસે તક છે સેમીફાઇનલની ટિકિટ મેળવવાની.
ઓસ્ટ્રેલિયા જો ન્યૂઝીલેન્ડ મોટા અંતરે હરાવે છે તો ન્યૂઝીલેન્ડનો રન રેટ વધારે ઓછો થઇ જશે. એવામાં પાકિસ્તાન બે જીત સાથે 11 પોઇન્ટ સાથે સેમીફાઇનલમાં પહોંચશે. પૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર શોએબ અખ્તરે કહ્યું કે, ભારતની ટીમ ટોપ પર રહેશે અને પાકિસ્તાનની ટીમ ચોથા નંબરે રહેશે. એવામાં બંને ટીમોનો સામનો થવો નક્કી છે.
શોએબ અખ્તરે પાકિસ્તાની ટીમને સલાહ આપતા કહ્યું કે, જો આગળની મેચ જીતવી હોય તો શોએબ મલિકને ટીમમાં સામેલ કરવો પડશે. ન માત્ર ટીમમાં સામેલ કરવો પડશે પરંતુ તેને તક પણ આપવી પડશે.
શોએબ અખ્તરે કહ્યું કે, વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં બે ટીમ મુર્ખ ટીમ રમી રહી છે. જે ફેવરીટ હોવા છતા પોતાની ખરાબ રમતને કારણે બહાર થઇ શકે છે. શોએબ અહીં ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેનડની વાત કરી રહ્યા હતા. અખ્તરે કહ્યું કે ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમનો મીડલ ઓર્ડર ખુબ જ કમજોર છે. એવામાં જો વિરોધી ટીમની ઓપનીંગ જોડી જલ્દી પવેલિયન ભેગી કરવામાં સફળ થાય છે તો મેચનું પાસુ પલટી શકે છે.