ક્રિકેટ કરિયરમાં 19 બેટ્સમેનને પોતાના ઘાતક બાઉંસરથી રિટાયર્ડ હર્ટ કરનારા પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે હવે સૌરવ ગાંગૂલીની સાથે જોડાયેલો કિસ્સો વર્ણવ્યો. જેમાં તેઓએ પૂર્વ ભારતીય કપ્તાનને પોતાના બાઉંસરથી ઘાયલ કર્યા હતા.
હાલમાં જ ઓસ્ટ્રેલિયાની ટીમના ચેમ્પિયન બેટ્ટ્સમેન સ્ટીવ સ્મિથ એક બાઉંસર પર ઈજાગ્રસ્ત થયા તો પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરને પણ બોલરની રીત પસંદ આવી નહીં. શોએબ અખ્તર ફાસ્ટ બોલસ જોફ્રા આર્ચરના બાઉંસરથી ખુશ છે પણ સ્મિથને ઈજાગ્રસ્ત કર્યા બાદ તેઓ તેમની ખબર પૂછવા પણ ગયા નહીં. આ વિષે અખ્તરે નારાજગી દેખાડી. અખ્તરે કહ્યું કે સારી ખેલદિલી એ જ છે કે બોલર બેટ્સમેન પાસે જઈને હાલચાલ પણ પૂછે.
જો કે એ વાત અલગ છે કે અખ્તર જે સલાહ યુવા આર્ચરને આપી રહ્યા છે તેવું તેઓ પોતે કરતા નથી. જ્યારે તેમના બોલથી સૌરવ ગાંગૂલી ઈજાગ્રસ્ત થયા હતા ત્યારે તેઓએ પણ ખબર પૂછી ન હતી. તેમના ફેન્સે તેમને આ વાત સોશિયલ મીડિયા પર યાદ અપાવી. અખ્તરે પોતાનો મત આ માટે રજૂ કર્યો હતો. શોએબ અખ્તર હાલમાં પોતાની એક ચેનલ યૂટ્યૂબ પર ચલાવી રહ્યા છે. ત્યાં તેઓ ક્રિકેટ સાથે જોડાયેલી વાત પર પોતાનો મત આપે છે.
આ સમયે અખ્તરે સૌરભ ગાંગૂલી સાથે જોડાયેલો કિસ્સો પણ યાદ કર્યો જેમાં તેઓએ ભારતના પૂર્વ કપ્તાનને પોતાના બાઉંસરથી ઈજાગ્રસ્ત કર્યા હતા. અખ્તરે કહ્યું મારા બાઉંસર બોલ પર જ્યારે ગાંગૂલી ઈજાગ્રસ્ત થયા ત્યારે તેઓ જમીન પર પડી ગયા, હું તેમની પાસે જવા ઈચ્છતો હતો પણ મોઈન ખાને મને જવાની ના પાડી હતી. ભારત-પાકિસ્તાનની વચ્ચે રમાનારી વન ડેમાં સૌરવ ગાંગૂલી પણ અખ્તરના એક બાઉંસર પર ઈજાગ્રસ્ત થયા હતા. તે બોલ ગાંગૂલીના રિબ્સ પર પડ્યો. ત્યારે દાદાને મેદાનથી રિટાયર્ડ હર્ટ થવું પડ્યું હતું.
અખ્તરે કહ્યું કે મોઈને કહ્યું કે ગાંગૂલીની પાસે જઈને તેમની ખબર પૂછે પણ પોતાને નબળા ન પડવા દે. ત્યારબાદ અખ્તરે જણાવ્યું કે તેઓએ પોતાના ક્રિકેટ કરિયરમાં લગભગ 19 બેટ્સમેનને ઈજાગ્રસ્ત કર્યા છે. જેના કારણે ખેલાડીઓને રિટાયર્ડ હર્ટ થવું પડ્યું હતું. તેઓએ જણાવ્યું કે તેમના ઘાતક બાઉંસરનો શિકા ગાંગૂલી સિવાય ગૈરી કર્સ્ટન, બ્રાયન લારા જેવા દિગ્ગજો પણ હતા. પોતાના સમયના ફાસ્ટ બોલરે કહ્યું કે બાઉંસર ફાસ્ટ બોલિંગનું પ્રમુખ હથિયાર છે અને બેટ્સમેનની વિરુધ્ધ તેને ઉપયોગમાં લેવું એ ખોટું નથી.