ખતરનાક કોરોના વાયરસ દુનિયાભરમાંથી 5400 લોકોથી વધારેની મૃત્યુ લઇ ચૂક્યો છે. આ વચ્ચે પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બૉલર શોએબ અખ્તરે તે લોકો પર ગુસ્સે થયો છે જેમાના કારણે આ વાયરસની શરૂઆત થઇ છે. શોએબ અખ્તરે આ તમામ પ્રકરણને લઇને સંપૂર્ણ રીતે ચીનને જવાબદાર ગણાવ્યો છે.
પોતાના યૂ-ટ્યૂબ ચેનલ પર અખ્તરે કહ્યુ કે, ''તમારે ચામચડીયું ખાવું કે તેનું લોહી અને મૂત્ર પીવાની શું જરૂર છે. આજ કારણથી દુનિયામાં કરોના વાયરસ ફેલાઇ ગયો છે. હું ચીની લોકોની વાત કરું છું, તેમણે આખી દુનિયાને મુશ્કેલીમાં નાખી દીધી છે. મને સમજ નથી પડતી કે તમે ચામચડીયા, કુતરા અને બિલાડી ખાઇ શકો છો. મને સાચ્ચે ગુસ્સો આવી રહ્યો છે.''
શોએબ અખ્તરે આગળ કહ્યુ કે, ''આજ કારણે દુનિયાભરમાં ખતરો ફેલાઇ ગયો છે. પર્યટન ઉદ્યોગને ઝડકો લાગ્યો છે. ઇકોનોમી પર ખરાબ અસર પડી રહી છે અને દુનિયા પૂરાઇ રહી છે. હું ચીની લોકોની વિરુદ્ઘ નથી પરંતુ હું તેમના આ પ્રકારના વ્યવહારને કારણે વિરુદ્ઘ છું. હું સમજી શકું છું કે તેમનું કલ્ચર છે પરંતુ તેનાથી કોઇ ફાયદો નથી થઇ રહ્યો. આ માનવતા મારવા બરાબર છેં. હું એમ નથી કહી રહ્યો કે, ચીની લોકોને બૉયકોટ કરો, પરંતુ કાયદો હોવો જોઇએ તમે બધુ ના ખાઇ શકો.''
કોરોના વાયરસની શરૂઆત ચીનના વુહાન શહેરથી થઇ અને અત્યાર સુધી દુનિયાના 100 દેશોમાં ફેલાઇ ચૂક્યો છે. દુનિયામાં આ બિમારીથી 1.30 લાખથી વધારે લોકો સંક્રમિત થયા ચે. પાકિસ્તાનમાં પણ તેની સંખ્યા 30 સુધી પહોંચી ચૂકી છે.