પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બૉલર શોએબ અખ્તેર પાકિસ્તાન ક્રિકેટમાં મેચ ફિક્સિંગને લઇને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. શોએબ અખ્તરે કહ્યુ કે, ''એક સમય એવો હતો જયારે હું 21 ખેલાડીઓની સામે રમતો હતો, 11 વિરોધી ટીમના અને 10 મારી પાકિસ્તાનના ટીમના હતા.''
શોએબ અખ્તરે પોતાના આ નિવેદનથી ક્રિકેટ જગતને ચોંકાવી દીધુ છે. શોએબે કહ્યુ કે, ''મારી ચારેય તરફ ફિક્સર્સ બેઠા હતા, તમે તેમ પણ ના કહી શકતા કે કોણ મેચ ફિક્સિંગ ન હતુ કરી રહ્યુ.''
પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બૉલરે કહ્યુ કે, ''હું પોતે ક્યારેય આમાં શામેલ થયો નથી. ''મોહમ્મદ આસિફ અને મોહમ્મદ આમિર વિશે વાત કરતાં શોએબે કહ્યું કે- ''હું આ બંને ખેલાડીઓને મારવા ગયો હતો, પરંતુ તે મળ્યા નહોતા. આમિર અત્યારે પણ પાકિસ્તાન ક્રિકેટ ટીમનો ભાગ છે.''
શોએબ અખ્તરે એક ટોક શો ‘Rewind with Samina Peerzada’ માં કહ્યુ કે, ''હું હંમેશા એવુજ વિચારતો હતો કે હું ક્યારેય પોતાના દેશ સાથે ગદારી નહીં કરું. મારી ચારેય બાજુ ફિક્સર્સ બેઠા હતા તેમ છતાં હું ક્યારેય તેમાં શામેલ થયો ન હતો. હકીકત એ છે કે હું 21 ખેલાડીઓ સામે રમતો હતો, વિરોધી ટીમના 11 અને મારી ટીમના 10 ખેલાડીઓ સામે રમતો હતો.''
શોએબે કહ્યું કે, ''હું તમને બ્રેકિંગ ન્યુઝ આપી રહ્યો છું. મોહમ્મદ આસિફે મને કહ્યું હતું કે, તેણે કેટલા અને કઈ રીતે મેચ ફિક્સ કર્યા હતા. આમિરે પણ આ વાત કરી હતી. હું તો આ બંનેને મારવા ગયો હતો પરંતુ તેઓ તે સમયે મળ્યા ન હતા. પાકિસ્તાનના બે પ્રતિભાશાળી બોલર્સ આમિર અને આસિફ આ ગુનાને લીધે બેરોજગાર થઇ ગયા હતા. તેમનો ઇન્સાફ ઉપરવાળો કરશે.''