ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના આગામી અધ્યક્ષ બનવા માટે તૈયાર છે. નવી ભૂમિકા માટે તેમણે સીમા પારથી પણ શુભકામનાઓ મળી રહી છે. પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બૉલર શોએબ અખ્તરે સૌરવ ગાંગુલીના ખૂબ જ વખાણ કર્યા અને BCCI ના નવા અધ્યક્ષ રૂપમાં સમર્થન પણ આપ્યુ.
સૌરવ ગાંગુલીને સીમા પારથી પણ મળી રહી છે શુભકામનાઓ
શોએબ અખ્તરે સૌરવ ગાંગુલાના વખાણ કર્યા
'ક્રિકેટનું સારું જ્ઞાન છે'
શોએબ અખ્તરે IPL માં સૌરવ ગાંગુલીની કેપ્ટન્સીમાં કોલકાતા નાઇટ રાઇડર્સને માટે સારુ રમનારા અખ્તરનું માનવુ છે કે, ''ગાંગુલીએ ખેલાડીઓની માનસિકતા બદલવાની સાથે સાથે ભારતીય ક્રિકેટનું પણ બદલ્યુ છે તેમણે ક્રિકેટનું સારું જ્ઞાન છે.''
શોએબ અખ્તરે પોતાના યૂટ્યૂબ ચેનલ પર વીડિયો પોસ્ટ કરતા કહ્યુ કે, ''મને લાગે છે કે હિંદુસ્તાનમાં ક્રિકેટમાં જે બદલાવ આવ્યો છે, તેની પાછળ માત્ર સૌરવ ગાંગુલી છે, તેમણા પહેલા 1997-98માં મને ક્યારેય નથી લાગ્યુ કે, હિંદુસ્તાને પાકિસ્તાનને હરાવ્યુ હોય. આ સાથે જ હિંદુસ્તાન પાસે એવું કોઇ સિસ્ટમ ન હતી કે જેનાથી તેઓ પાકિસ્તાનને હરાવી શકે. સૌરવ ગાંગુલીએ ભારતીય ક્રિકેટની માનસિકતા બદલી દીધી છે.''
સૌરવ ગાંગુલીની ઇમરાન ખાનની સાથે કરી સરખામણી:
શોએબ અખ્તરે સૌરવ ગાંગુલીની સરખામણી ઇમરાન ખાન સાથે કરી. તેણે કહ્યુ કે, સૌરવ અને ઇમરાન ખાનમાં એક એવી વાત છે કે બંને ખેલાડીઓ પર વિશ્વાસ કરે છે. ગાંગુલીએ પોતાની નજરથી હિંદુસ્તાનમાં સારા રમનારા ખેલાડીઓને શોધી દીધા, તો ઇમરાન ખાન પણ આવું જ કરતા ,જેમાં વકાર યૂનુસ, વસીમ અકરમ, આકિબ, ઇન્જમામ જેવા ખેલાડી શામેલ છે. તો આ કામ સૌરવ ગાંગુલીએ કરતા હરભજન સિંહ, વિરેન્દ્ર સહેવાગ, યુવરાજ સિંહ, ગૌતમ ગંભીર, ઝહીર ખાન, આશિષ નહેરા જેવા ખેલાડીઓને શોધ્યા.
BCCI ના અધ્યક્ષ બનવાનું કન્ફર્મ:
સૌરવ ગાંગુલી હાલ બંગાલ કેટ સંઘના અધ્યક્ષ છે અને તે BCCI અધ્યક્ષ બનવાનું નક્કી છે. કારણકે આ પદ માટે માત્ર એક જ નામાંકન ભરવામાં આવ્યું છે અને તે ગાંગુલી છે. જોકે, ગાંગુલી એક વર્ષ કરતા પણ ઓછા સમય માટે BCCI બોસ હશે. સપ્ટેમ્બર 2020માં તે કૂલિંગ પીરિયડમાં જશે કારણકે ગત પાંચ વર્ષથી સીએબીના અધ્યક્ષ છે. BCCIના નિયમ અનુસાર, કોઇપણ અધિકારી માત્ર 6 વર્ષ માટે જ કોઇ પદ પર રહી શકે છે.