કાનપુર હત્યાકાંડના મુખ્ય આરોપી અને કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબેના એન્કાઉન્ટરને શિવસેનાએ સમર્થન આપ્યું છે. શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે યુપી પોલીસની કાર્યવાહી પર સલાવ ન ઉઠાવવામાં આવે. જે ગુંડાએ પોલીસની હત્યા કરી તેના પર સવાલ ઉઠાવવા જોઈએ પોલીસ પર નહીં. વિકાસ દુબેનું એન્કાઉન્ટર લો એન્ડ ઓર્ડરનો સવાલ છે.
પોલીસની બંદૂક છીનવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો
આ રીતે સંતુલન જતા ગાડી ડિવાઈડરને અથડાઈ અને પલટી હતી
શિવસેનાએ આ એન્કાઉન્ટરને વ્યાજબી ગણાવ્યું છે
ઉલ્લેખનીય છે કે ગેંગસ્ટર વિકાસ દુબેની ગઈ કાલે ઉજજૈન મહાકાલ મંદિરથી ધરપકડ કરવામાં આવી હતી. એ બાદ મોડી સાંજે યુપી એસટીએફ વિકાસના ટ્રાન્જિટ રિમાન્ડ લઈ તેને કાનપુર લઈને આવવા રવાના થઈ હતી. કાનપુરની સીમામાં દાખલ થતાની સાથે પોલીસની વેન જેમાં વિકાસ પણ હતો તે પલટી ગઈ હતી. ત્યારે વિકાસે પોલીસની બંદૂક છીનવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસ સાથે તેની ઝપાઝપી થઈ હતી જેથી ગાડીનું સંતુલન જતા ગાડી ડિવાઈડરને અથડાઈ અને પલટી હતી. જેમાં પોલીસ કર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા.
આ પરિસ્થિતીનો ફાયદો લઈને વિકાસ બંદૂક લઈ સુરક્ષાકર્મીઓ પર ફાયરિંગ કરી એક ખેતર તરફ ભાગ્યો હતો. જ્યાં સુરક્ષાકર્મીઓએ કાઉન્ટર ફાયરિંગ કર્યુ હતું જેમાં તેને ગોળી વાગતા તેનું મોત થયું હતુ. ઉલ્લેખનીય છે કે તેના એન્કાઉન્ટરને લઈને અખિલેશ યાદવ, પ્રિયંકા ગાંધી સહિત અનેક લોકોએ સવાલ ઉઠાવ્યા છે. ત્યારે ભાજપ સાથે છેડો ફાડનાર શિવસેનાએ આ એન્કાઉન્ટરને વ્યાજબી ગણાવ્યું છે. તેમજ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવનારની નિંદા કરી છે.