એક સમયે યુપીમાં પોતાના દબદબાના કારણે બહુજન સમાજનું પ્રતિનિધિત્વ કરતા માયાવતીએ આ ચૂંટણીમાં હથિયાર હેઠા મુકી દીધા હતા, જેના કારણે તેમની હાજર નહીંવત રહી હતી.
એક સમયે યુપીમાં માયાવતીનો દબદબો હતો
માયાવતીએ અપ્રત્યક્ષ રીતે ભાજપને સપોર્ટ કર્યો હોવાનો દાવો
શિવસેનાએ કર્યા મોટા સવાલો
દેશના પાંચ રાજ્યોમાં પુરી થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ચાર રાજ્યમાં શાનદાર જીત મેળવી છે. તેમાં સૌથી મહત્વનું છે ઉત્તર પ્રદેશ રાજ્ય. જ્યાં 37 વર્ષ બાદ કોઈ પાર્ટી સતત બીજી વાર સત્તમાં આવી છે. ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં મહારાષ્ટ્રની શિવસેનાએ પણ કેટલીય સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા., પણ પાર્ટીને ત્યાં નોટા કરતા પણ ઓછા મત મળ્યા છે. ભાજપની બંપર જીતથી શિવસેનાએ માયાવતી પર નિશાન સાધ્યું છે.
માયાવતી પર આકરાં સવાલો કર્યા
શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં લખ્યું છે કે, એક સમયે ઉત્તર પ્રદેશમાં વાઘણની માફક ફરવાનારા માયાવતી, કેન્દ્રીય તપાસ એજન્સીઓેના જરથી ચૂંટણીમાં ભાગી નિકળ્યા. આવકથી વધારે સંપત્તિના કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સીઓનું દબાણ લાવીને માયાવતીને ચૂંટણીથી દૂર રહેવા માટે મજબૂર કરવામાં આવ્યા છે. બસપાની ચૂંટણીમાં હાજરી ના બરાબર હતી. જે પાર્ટી કોઈ સમયે પોતાના દમ પર સત્તામાં આવીને ચમત્કાર કરી ચુકી હતી. તે પાર્ટીને 403ના આંકડાવાળી વિધાનસભામાં ફક્ત એક સીટ મળવી એ શું કોઈને સ્વિકાર્ય હોય ?
કેન્દ્રીય તપાસ એજન્સીઓના દબાણથી મળી જીત
સામનામાં પોતાના સંપાદકીયમાં લખ્યું છે કે, કેન્દ્રીય તપાસ એજન્સીઓનું દબાણ, યુપી ચૂંટણીમાં ભાજપની જીતનું મુખ્ય કારણ સાબિત થયું છે. જો કે, વિજય સભામાં આપણા પ્રધાનમંત્રી કહેતા હતા કે, વિરોધી કેન્દ્રીય તપાસ એજન્સીઓ પર દબાણ બનાવી રહ્યા છે. પ્રધાનમંત્રીના મતે તેમના લોકો પણ સહમત નહીં હોય. દબાણ કેવું અને શું હોય છે, માયાવતી તેનું જ્વલંત ઉદાહરણ છે. ભાજપના યશમાં કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા માયાવતીનો પણ મોટો રોલ છે. તેનો સીધો અર્થ એ થાય છે કે, માયાવતીએ આ વખતે પોતાની સાથે સાથે બસપાનું અસ્તિત્વ પણ સમાપ્ત કરી નાખ્યું છે.
રાષ્ટ્રપતિ ચૂંટણીમાં સમસ્યા આવશે
સામનામાં લખ્યું છે કે, યુપીમાં ભાજપની જીતનો જશ્ન મનાવામાં આવ્યો છે. નિશ્ચિત પણે તેમની સત્તા આવી છે. જો કે, આ વખતે અખિલેશ યાદવની સીટો પણ વિધાનસભામાં વધી છે. પંજાબની સ્થિતિ અને ત્રણ ગણી વધેલી સીટોના કારણે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભાજપ માટે માથાનો દુખાવો સાબિત થઈ શકે છે.
પોતાના પર લાગેલા દાગ નથી દેખાતા
સામનામાં સંપાદકીયમાં સવાલ ઉઠાવતા કેન્દ્રીય તપાસ એજન્સીઓનો રાફડો ફક્ત રાજકીય વિરોધીઓ પાછળ શા માટે લાગ્યો છે ? ભાજપના ભ્રષ્ટ અને કૌભાંડીઓ લોકોની જાણકારી સાર્વજનિક કરતા જ અને તેમના વિશે સરકારને બતાવતા જ તપાસ એજન્સીઓએ પર દબાણ કેવી રીતે સિદ્ધ થઈ જાય છે ? મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળે દિલ્હીની ગુલામીને ઠોકર મારી દીધી છે. તમારા ટુકડા પર જીવતી બિલાડી બની રહેવાની ના પાડી દીધી. એટલા માટે કેન્દ્રીય એજન્સીઓનો દુરૂપયોગ કરવો, આ કેવા પ્રકારની નિષ્પક્ષતા અને સ્વસ્થ સ્વતંત્ર સ્વાભિમાન છે.