સંજય રાઉતની પાંખો કપાવાની તૈયારીઓ થઇ રહી હોવાનું સામે આવ્યું છે. શિવસેનાએ પોતાના લોકસભા સાંસદ અરવિંદ સાવંતને પાર્ટીના મુખ્ય પ્રવક્તા નિયુક્ત કર્યા છે.
સંજય રાઉતની પાંખો કપાવાની તૈયારી?
અરવિંદ સાવંતને શિવસેના પાર્ટીના પ્રવક્તા બનાવાયા
રાઉતના તે નિવેદન બાદ શિવસેનાએ આ નિર્ણય લીધો
અગાઉ પાર્ટીના પ્રવક્તા રહી ચૂકેલા અરવિંદ સાવંતને ફરી પ્રવક્તા બનાવાયા છે. જ્યારે 2019થી પહેલા ભાજપ અને શિવસેનાનું ગઠબંધન હતું ત્યારે તેઓ કેન્દ્રીય કેબિનેટમાં શિવસેનાના એકમાત્ર મંત્રી હતા. ત્યારે, સંજય રાઉતના પહેલાથી પાર્ટીના મુખ્ય પ્રવક્તા રહી ચૂકેલા સાવંતની ફરી આ પદ પર નિમણૂંકને રાઉતની પાંખો કાપવાના પ્રયત્નના રૂપમાં જોવામાં આવી રહ્યું છે.
રાઉતે અનિલ દેશમુખને એક્સીડેન્ટલ હોમ મિનિસ્ટર ગણાવ્યા હતા
શિવસેનાએ બુધવારે પાર્ટીના મુખપત્ર સામનામાં પોતાના પ્રવક્તાઓની એક નવી યાદી જાહેર કરી છે. રાજ્યસભા સભ્ય અને સામનાના કાર્યકારી સંપાદક રાઉતને ગત વર્ષ સપ્ટેમ્બરમાં પાર્ટીના મુખ્ય પ્રવક્તા બનાવાયા હતા. સાવંતને શિવસેના પ્રમુખ નિયુક્ત કરવાનો નિર્ણય રાઉતના તે નિવેદન બાદ આવ્યો છે જેમાં મહારાષ્ટ્રના NCP નેતા અનિલ દેશમુખને એક્સીડેન્ટલ હોમ મિનિસ્ટર ગણાવ્યા હતા.
રાઉત કંઇ બોલતા પહેલા સાવધાન રહેઃ થોરાત
ત્યારબાદ મહારાષ્ટ્રના મંત્રી બાબાસાહેબ થોરાતે મંગળવારે કહ્યું કે, રાઉતને કોઇ પણ ટિપ્પણી કરતા પહેલા સાવધાન રહેવું જોઇએ. રાઉતને રાજ્યમાં સહયોગી કોંગ્રેસથી પણ ટિકાનો સામનો કરવો પડ્યો હતો જ્યારે તેમને સલાહ આપી કે એનસીપી પ્રમુખ શરદ પવારને યૂપીએ અધ્યક્ષના રૂપમાં પદભાર સંભાળવો જોઇએ. જણાવી દઇએ કે વર્તમાનમાં યૂપીએની અધ્યક્ષતા કોંગ્રેસની વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી કરી રહ્યા છે.
જણાવી દઇએ કે એન્ટીલિયા પ્રકરણ સામે આવ્યા બાદ સંજય રાઉતના નિવેદનોથી ઉચ્ચ નેતૃત્વ ખુશ નહોતું. તેમના નિવેદનોથી ગઠબંધન પર અસરને લઇને ઉચ્ચ નેતૃત્વની ચિંતા વધી ગઇ હતી. ત્યારે અરવિંદ સાવંતને મુખ્ય પ્રવક્તા બનાવીને સંજય રાઉતને એ સંદેશ આપવાનો પ્રયાસ કરાયો છે કે તેઓ પોતાની હદમાં રહે.