શિવસેનાના મુખપત્ર સામનામાં પાકિસ્તાની અને બાંગ્લાદેશી મુસલમાન ઘુસણખોરો વિરુદ્ધ એકવાર ફરી પ્રહાર કરવામાં આવ્યાં છે. શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં લખ્યું છે કે દેશમાં ઘુસણખોરી કરેલા પાકિસ્તાન અને બાંગ્લાદેશના મુસલમાનોને બહાર નિકાળવા જોઇએ. સામનામાં MNS પ્રમુખ રાજ ઠાકરે પર પણ નિશાન તાક્યું છે.
સામનામાં પાકિસ્તાન અને બાંગ્લાદેશી મુસ્લિમોને લઇ પ્રહાર
પાકિસ્તાન-બાંગ્લાદેશી મુસ્લિમોને બહાર કરી દેવા જોઇએ
શિવસેનાએ સામનામાં જણાવ્યું કે પાકિસ્તાની અને બાંગ્લાદેશી મુસલમાનોને બહારનો રસ્તો બતાવવા માટે કોઇ રાજકીય પક્ષે પોતાનો ફલેગ બદલો પડે એ એક મજેદાર વાત છે. બીજી વાત એ છે કે આ માટે એક નહીં, બે ઝંડા (ફલેગ)ની યોજના બનાવી એ એક મૂંઝવણ છે કે નીચે પડતાની નિશાની છે. રાજ ઠાકરે અને તેમની 14 વર્ષ જૂની પાર્ટીનું ગઠન મરાઠા મુદ્દા પર કરવામાં આવ્યું હતું. પરંતુ હવે તેમની પાર્ટી હિંદુત્વવાદ તરફ જઇ રહી હોય તેવું દેખાય રહ્યું છે.
શિવસેનાનું નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે નાગરિકાત સંશોધન અધિનિયમ (CAA) અને નેશનલ રજિસ્ટર ઓફ સિટીજન્સ (NCR) ને લઇને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. નાગરિકાત સંશોધન અધિનિયમ વિરુધ્ધ કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળ એકજૂટ થઇ ગયા છે. હાલમાં મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને નશનલિસ્ટ કોંગ્રેસ (NCP) ગઠબંધનની રાજય સરકાર છે.
ભારતીય જનતા પાર્ટીથી અલગ થવા છતાં શિવસેનાએ નાગરિકતા સંશોધન અધિનિયમ પર લોકસભામાં મોદી સરકારનો સાથ આપ્યો હતો. જો કે બાદમાં રાજ્યસભામાં શિવસેનાએ વૉકઆઉટ કર્યો હતો અને મોદી સરકાર સંસદમાં નાગરિકતા સંશોધન અધિનિયમ પાસ કરવામાં સફળ રહી હતી.