શિવસેનાએ એક્ઝિટ પોલના પરિણામો પર ભરોસો રાખતા કહ્યું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વવાળી સરકાર ફરીવાર સત્તામાં આવશે. આ સાથે જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને તેમની પાર્ટીના મહાસચિવ અને બહેન પ્રિયંકા ગાઁધીની મહેનતના વખાણ પણ કર્યા હતા.
પાર્ટીના મુખપત્ર સામનામાં કહેવામાં આવ્યું કે, નવી લોકસભામાં કોંગ્રેસને આ વખતે વિપક્ષીનેતા પદ માટે પુરતી માત્રામાં બેઠકો મળશે, સામનાના સંપાદકીય લેખમાં લખવામાં આવ્યું હતું કે, વર્ષ 2019માં ફરીએકવાર મોદી સરકાર આવશે. આવું કહેવા માટે કોઇ રાજકીય પંડિતોની જરૂર નથી. અત્યારની પરીસ્થિતી જ એવી છે કે, લોકો મોદીને સત્તામાં લાવવા માટે મન બનાવી ચૂક્યા છે.
આ સાથે જ શિવસેનાના મુખપત્રમાં દાવો કરવામાં આવ્યો હતો કે, મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધન ઐતિહાસીક જીત નોંધાવશે, રાહુલ અને પ્રિયંકાની પ્રસંશા કરતા શિવસેનાએ લખ્યું હતું કે, બંન્નેએ ખુબ જ મહેનત કરી. ગત લોકસભામાં કોંગ્રેસ પાસે એટલી બેઠકો પણ નહોંતી કે વિપક્ષના નેતા પદ મેળવી શકે. પરંતુ આ વખતે કોંગ્રેસને જરૂરી બેઠક મળી શકે છે.
જો કે, આગામી લોકસભામાં કોંગ્રેસ 100 બેઠકના આંકડાને પાર નહીં કરી શકે. નોંધનીય છે કે, એક્ઝિટ પોલે બીજી વખત વડાપ્રધાન મોદીના નેતૃત્વવાળી સરકાર બનવાનું અનુમાન લગાવ્યું છે. જે ખરેખર સાચી બાબત છે.