શિવસેનાના નેતા સંજય રાઉતે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ની તપાસ પર સવાલ ઉઠાવતા કહ્યું છે કે બોલીવૂડને ખતમ કરવા માટે કાવતરું કરવામાં આવી રહ્યું છે.
બોલીવૂડ સ્ટાર્સ સામે NCB તપાસનો મામલો
સંજય રાઉતે NCB તપાસને ગણાવ્યુ ષડયંત્ર
બોલીવૂડને બદનામ કરવા સ્ટાર્સ સામે તપાસ: રાઉત
ઉલ્લેખનીય છે કે, રાઉતે કહ્યું કે NCBનું કામ દેશની બહારથી આવતી દવાઓના મોટા જથ્થા પકડવાનું છે અને તેના મૂળ સુધી પહોંચીને સમાપ્ત કરવું છે. પછી ભલે માલ હવાઇ માર્ગે આવે છે અથવા કોઈ અન્ય રીતે. પરંતુ અત્યારે એનસીબી શું કરે છે? ઉદ્યોગનો અંત લાવવાનું કાવતરું ચાલુ છે.
ઉદ્યોગને ખતમ કરવા કાવતરું કરવામાં આવી રહ્યું છે
રાઉતે કહ્યું, "અત્યારે એનસીબી દરેક માણસોની પૂછપરછ કરી રહી છે, એવું લાગે છે કે આજકાલ બોલીવુડમાં લોઈ ફિલ્મ બની નથી, કોઈ મ્યુઝિક તૈયાર કરવામાં આવી રહ્યું છે, કોઈ સ્ક્રિપ્ટ નથી લખવામાં આવી રહી, બધા ફક્ત ડ્રગ્સ લે છે. આ રીતે, ઉદ્યોગને બદનામ કરવા અને નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જ્યારે દરેક શહેર અને રાજ્યમાં સરકાર દ્વારા રચિત પોલીસ વિભાગ બનાવવામાં આવે છે. "
Narcotics Control Bureau's job is to prevent drug smuggling, but here they are calling one person after the other. In which field, there is no addiction? Some have an addiction to money, some have other addictions: Shiv Sena leader Sanjay Raut pic.twitter.com/vOH3zLRrY2
રાઉતે આરોપ લગાવ્યો હતો કે, સુશાંત કેસમાં સીબીઆઇના હાથે કાઇ લાગ્યું નહીં, માટે એનસીબીએ તપાસ શરૂ કરી હતી. સુશાંતના મામલામાં તપાસ ક્યાં સુધી પહોંચી તે હજી સુધી ખબર નથી.