શિવસેનાના સાંસદ સંજય રાઉતની તબિયત લથડી છે. તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સંજય રાઉતની ગણતરી સેનાના ટોચના નેતાઓમાં થાય છે. સંજય રાઉત મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો બાદથી ભાજપ પર ઘણા હુમલા કરી રહ્યા રહ્યા છે. તેઓ સેનાના મુખપત્ર સામનાના કાર્યકારી સંપાદક પણ છે.
સરકાર રચવાના દાવા પહેલા મહારાષ્ટ્રના રાજકારણમાં હડકંપ
શિવસેનાના દિગ્ગજ નેતા સંજય રાઉતની તબિયત બગડી
લીલાવતી હોસ્પિટલ કરાયા દાખલ
સંજય રાઉતની તબિયત એવા સમયે બગડી છે કે જ્યારે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ શિવસેનાને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે. શિવસેનાના નેતાઓ સાંજે 6 વાગ્યે રાજ્યપાલને મળવા જશે. શિવસેના પાસે સાંજ 7.30 વાગ્યા સુધીમાં પોતાનો દાવો રજૂ કરવાનો સમય છે.
Mumbai: Shiv Sena leader Sanjay Raut admitted at Lilavati hospital. More details awaited. (File Pic) pic.twitter.com/Y9vDO4GdUa
જ્યારે એનડીએમાં રહેવાના સવાલ પર સંજય રાઉતે કહ્યું કે, બીજેપી પોતાનુ વચન પૂર્ણ નહીં કરવા ઇચ્છતી તો ગઠબંધનમાં રહેવાનો કોઇ અર્થ નથી. એમણે કહ્યું કે બીજેપીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરવા માટે 72 કલાક આપવામાં આવ્યા.
ત્યારે કોંગ્રેસ-NCP સાથે સરકાર બનાવવાના સવાલ પર સંજય રાઉતે કહ્યું કે જમ્મૂ કાશ્મીરમાં પીડીપીની સાથે-સાથે હાથ મિલાવી શકે છે તો, શિવસેના એનસીપી-કોંગ્રેસ સાથે કેમ નહીં. રાઉતે કહ્યું કે કોંગ્રેસ, એનસીપીને મતભેદ ભૂલીને મહારાષ્ટ્રના હિતમાં એક સહયોગમાં કાર્યક્રમમાં સાથે આવવું જોઇએ.