વસ્તી નિયંત્રણને લઈને મહારાષ્ટ્ર સરકારના સાંસદે એક મહત્વનું બિલ રજૂ કર્યું છે. દેશમાં થઈ રહેલો વસ્તી વધારો મોટો નિર્ણય છે. ત્યારે દેશભરમાં એક જ માંગણી છે કે વસ્તી નિયંત્રણ કરવામાં આવે. જે વિશે આ પહેલા મોહન ભાગવત પણ પોતાનો મત રજૂ કરી ચૂક્યાં છે.
વસ્તી નિયંત્રણને લઈને સંસદમાં બિલ
શિવસેના સાંસદે રાજ્યસભામાં રજુ કરાયું
પરિવારમાં 2 બાળકો સુધી મર્યાદામાં કહેનારા પરિવારને
આ બિલ પર બજેટ સત્ર દરમિયાન ચર્ચા થશે
દેશની વધતી વસ્તી સતત પડકાર બની રહી છે. આ પડકારને જોતા શિવસેનાના રાજ્યસભા સાંસદ અનિલ દેસાઈ એક પ્રાઈવેટ બિલ લઈ આવ્યા છે. જેમાં દેશમાં ફક્ત 2 બાળકોની નીતિને પ્રોત્સાહિત કરવાની અપીલ કરવામાં આવી છે. આ બાદ સંવિધાનમાં સંશોધન કરવાની વાત કરવામાં આવી છે. અનિલ દેસાઈના આ બિલ પર બજેટ સત્ર દરમિયાન ચર્ચા થશે.
જનસંખ્યા નિયંત્રણને લઈને લાંબા સમયથી અપીલ કરવામાં આવી રહી છે
જનસંખ્યા નિયંત્રણને લઈને નિર્ણય લેવા માટે લાંબા સમયથી અપીલ કરવામાં આવી રહી છે. જોકે સરકાર તરફથી કોઈ નક્કર પગલા ભરવામાં આવ્યા નથી. સંસદમાં કોઈ પણ સાંસદ પોતાની તરફથી એક પ્રાઈવેટ બિલ લાવી શકે છે. જે શુક્રવારે રજુ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે બજેટ સત્રમાં અત્યારે બ્રેક ચાલી રહ્યો છે પરંતુ જ્યારે બીજું સત્ર શરુ થશે ત્યારે આ બિલ પર ચર્ચા કરવામાં આવી શકે છે.
કાયદાને મુસ્લિમ વિરોધી માનવામાં આવે છે
બજેટ સત્રના પહેલા ભાગના છેલ્લા દિવસે અનિલ દેસાઈએ આ બિલ રજૂ કર્યું હતું. જોકે આ પ્રકારનો પ્રસ્તાવ પહેલા પણ આવી ચૂકયો છે પરંતુ રાજકીય દળો અને સંગઠનો દ્વારા આ પ્રકારના કાયદાને મુસ્લિમ વિરોધી માનવામાં આવે છે.
સંવિધાનના અનુચ્છેદ 47માં પરિવર્તન જરુરી છે
એક અંગ્રેજી ન્યૂઝ પેપરમાં અનિલ દેસાઈએ જણાવ્યું હતું કે, ‘આ બિલ માટે તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી છે. આ સંજોગોમાં એ પણ ધ્યાન પર લેવું જોઈએ કે શિવસેનાના સાથી કોંગ્રેસ અને એનસીપીની આના પર પ્રતિક્રિયા રહેશે. અનિલ દેસાઈએ આ બિલને રજુ કરતા સંવિધાનના કેટલાક સંશોધનની માંગણી રાખી છે. જેમાં સંવિધાનના અનુચ્છેદ 47માં પરિવર્તન જરુરી છે.
ભારતની જનસંખ્યા અત્યારે પણ 130 કરોડથી પણ વધારે છે
બિલમાં પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે કે વધતી વસ્તીને નિયંત્રિત કરવા માટે પરિવારને બે બાળકો સુધી મર્યાદિત રાખનારા નાગરિકોને ટેક્સમાં છુટ, વ્યવસાય, શિક્ષણમાં પ્રોત્સાહન જેવા નિયમો બનાવવામાં આવશે. માપદંડોનું પાલન ન કરનારાને આનો લાબ નહીં મળે. ભારતની જનસંખ્યા અત્યારે પણ 130 કરોડથી પણ વધારે છે જે વિશ્વમાં બીજા નંબરની છે.