મુંબઈની કોર્ટે 22 ઓગસ્ટ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા
સંજય રાઉત જામીન માટે નહીં કરે અરજી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) મની લોન્ડરિંગના એક કેસમાં શિવસેનાના સાંસદ સંજય રાઉતને સોમવારે મુંબઈની વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા.કોર્ટે રાઉતને 22 ઓગસ્ટ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. જેલમાં સંજય રાઉતને ઘરનું ખાવાનું અને દવાઓ આપવામાં આવી શકે છે. તો વળી એવા પણ સમાચાર મળ્યા છે કે, સંજય રાઉત જામીન માટે અરજી કરશે નહીં. કોર્ટના ચુકાદા બાદ સંજય રાઉતને હવે આર્થર રોડ જેલ લઈ જવામાં આવશે.
#UPDATE | Mumbai: Shiv Sena MP Sanjay Raut sent to judicial custody till 22nd August in connection with Patra Chawl land case https://t.co/J36zzqgYi4
કોર્ટે ગત ગુરુવારે રાઉતની ઈડીની ધરપકડનો સમય આઠ ઓગસ્ટ સુધી લંબાવી દીધો હતો. કોર્ટે કહ્યું હતું કે, ઈડીએ મની લોન્ડ્રીંગ મામલામાં તપાસમાં ઉલ્લેખનિય પ્રગતિ કરી છે. ઈડીએ ત્યારે એવું કહીને વધુ આઠ દિવસની કસ્ટડી માગી હતી કે તેણે નાણા ટ્રાંસફરને લઈને વધુ વિગતો શોધવાની છે.
મુંબઈની કોર્ટે જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા
શિવસેના નેતાને ઉપનગર ગોરેગાવમાં પાત્રા ચોલના પુનર્વિકાસમાં કથિત નાણાકીય હેરફેરના સંબંધમાં એક ઓગસ્ટના રોજ ધરપકડ કરવાના હતા. હવે આજે મુંબઈની સ્પેશિયલ કોર્ટે શિવસેના સાંસદ સંજય રાઉતને 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે.