14 એપ્રિલનાં રોજ એક ભાષણમાં સંજય રાઉતે કહ્યું હતું કે, આપણે કાયદાનાં લોકો છીએ, પરંતુ ચૂંટણી દરમિયાન અમારા પર એક દબાણ બની રહે છે કે ક્યાંક આચાર સંહિતાનું ઉલ્લંઘન ના કરીએ.
ચૂંટણી ઝુંબેશ દરમિયાન નેતાઓ અને ઉમેદવારોનાં મનમાં જેનો સૌથી વધારે ડર રહેતો હોય છે તે હોય છે આચાર સંહિતાનો ભંગ. ચૂંટણી આયગ દરેક વખતે નેતાઓનાં ભાષણ પર નજર રાખતા હોય છે. પરંતુ શિવસેનાનાં નેતા સંજય રાઉતે આ વખતે આચારસંહિતા સામે જ પડકાર ફેંક્યો છે. એક ભાષણમાં તેમણે કહ્યું કે, "ભાડમાં ગયો કાયદો, આચારસંહિતાને પણ અમે જોઇ લેશું."
#WATCH Maharashtra: Shiv Sena's Sanjay Raut speaks on Model Code of Conduct during Elections. Says, "...Hum aise log hain, bhaad mein gaya kanoon, achar sanhita bhi hum dekh lenge. Jo baat hamare mann mein hai wo agar hum mann se bahar nahi nikalein to ghutan si hoti hai" (14.04) pic.twitter.com/9B6w1yAawJ
એક સમાચાર એજન્સી દ્વારા જારી કરવામાં આવેલા એક વિડિઓ અનુસાર, 14 એપ્રિલનાં રોજ એક ભાષણમાં સંજય રાઉતે કહ્યું હતું કે, આમ તો અમે લોકો કાયદાનું પાલન કરનારા છીએ પરંતુ ચૂંટણી દરમિયાન અમારા પર એક દબાણ હોય છે કે ક્યાંક આચાર સંહિતાનું ઉલ્લંઘન ના થઇ જાય.
આ સમય દરમિયાન, તેઓએ કહ્યું હતું કે, "ભાડમાં જાય કાયદો, આચાર સંહિતાને પણ અમે જોઇ લેશું." જે વાત અમારા મનમાં છે, તે જો મનમાંથી બહાર ના આવે તો અમને ગૂંગળામણ જેવું થાય છે."