મહારાષ્ટ્રમાં સત્તાની ખુરશીને લઇને ઘમાસાણ ચાલી રહ્યું છે. ત્યારે શિવસેનાએ ભારતીય જનતા પાર્ટી પર ફરી નિશાન સાધ્યું છે. શિવસેના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું છે કે મહારાષ્ટ્રની કુંડલી તો અમે જ બનાવીશુ. કુંડલીમાં કયો ગ્રહ ક્યાં રાખવાનો છે અને કયા સ્ટાર જમીન પર ઉતારવાના છે. કયા સ્ટારને ચમક આપવાની છે, એટલી તાકાત આજે પણ શિવસેના પાસે છે.
શિવસેના પ્રવક્તા સંજય રાઉતનો બીજેપી પર હુમલો
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઇને મંથન ચાલુ છે
સંજય રાઉતે કહ્યું છે કે મહારાષ્ટ્રની કુંડલી તો અમે જ બનાવીશુ
નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઇને શિવસેના અને બીજેપીમાં મંથન ચાલુ છે. બંને પાર્ટીઓ તરફથી નિવેદનબાજી થઇ રહી છે. આ પહેલા શિવસેનાના નેતા સંજય રાઉતે નિવેદન આપ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ 50-50 ફોર્મૂલાનું વચન નિભાવવુ જોઇએ અને ગઠબંધન ધર્મ નિભાવવુ જોઇએ. સંજય રાઉતે કહ્યું હતું કે શિવસેનાની પાસે ઘણા વિકલ્પ છે, પરંતુ અમે તેના પર વિચાર કરવા માંગતા નથી.
Sanjay Raut, Shiv Sena: Anybody who has the majority of 145, be it any politician or MLA, can become the Chief Minister of Maharashtra. Governor will invite whoever has the figure of 145 or the largest party, but even they have to prove majority on the floor of the house. https://t.co/BPjYNRAury
આ પહેલા બીજેપીના સાંસદ સંજય કાકડેએ કહ્યું હતું કે શિવસેનાના લગભગ 45 સાંસદ બીજેપીની સાથે મળીને સરકાર બનાવવા માંગે છે. એવામાં તેમને પોતાના નિર્ણય પર વિચારવુ જોઇએ. એમણે કહ્યું હતું કે શિવસેનાના મંત્રિઓને સરકારમાં રહેવાની ટેવ પડી ગઇ છે.
નિવેદનબાજી વચ્ચે બુધવારે બીજેપી નેતા સુનીલ મુનગંટીવારે નિવેદન આપ્યું છે કે જો શિવસેના, કોંગ્રેસ અથવા એનસીપીની સાથે મળીને સરકાર બનાવે છે તો આ વિપરિત બુદ્ધિ જેવુ હશે. બીજેપીના નેતા સુનીલ મુનગંટીવારે કહ્યું કે જે જનાદેશ મળ્યો છે તે ભાજપ-શિવસેના ગઠબંધનને મળ્યો છે.