મહારાષ્ટ્રમાં રાજકીય ગતિરોધ યથાવત છે ત્યારે સરકાર બનવાની પરિસ્થિતિ હજુ સુધી સ્પષ્ટ થઈ નથી. ભાજપ અને શિવસેના વચ્ચે ઘમાસાણ ચરમસીમા પર છે. શિવસેના નેતા સંજય રાઉત મહારાષ્ટ્રનાં રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી.
ભાજપ શિવસેના વચ્ચે સિંહાસન માટે ખેંચતાણ
સંજય રાઉતે મહારાષ્ટ્રના રાજ્યપાલ સાથે કરી મુલાકાત
મુખ્યમંત્રી પદ અંગેના સવાલનો જવાબ આપવાનું ટાળ્યું
રાજ્યપાલ સાથેની બેઠક બાદ શિવસેના નેતા સંજય રાઉતે મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પ્રતિનિધી તરીકે મહારાષ્ટ્રના રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી.
રાજ્યપાલ સાથે સંજય રાઉતની મુલાકાત
રાજ્યપાલ સાથેની મુલાકાતમાં તેમણે મહારાષ્ટ્રના રાજકારણની પ્રવર્તમાન સ્થિતિ પર ચર્ચા કરી. તેમણે કહ્યું કે, આ એક સામાન્ય મુલાકાત હતી, અમે ઇચ્છીએ છીએ કે મહારાષ્ટ્રમાં ઝડપખી સરકારની રચના થાય. જો કે, સંજય રાઉત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના સવાલનો ઉત્તર આપ્યા વગર જ ચાલી નીકળ્યા હતા.
દેવેન્દ્ર ફડણવીસ અને અમિત શાહ વચ્ચે બંધ બારણે મુલાકાત
મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે વિખવાદ વધુ ને વધુ વકરી રહ્યો છે ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ મહારાષ્ટ્ર મુખ્યમંત્રી અને ભાજપ અધ્યક્ષની આ પ્રથમ મુલાકાત હતી. મહારાષ્ટ્રની રાજનીતિને જોતા આજનો દિવસ રાજ્ય માટે અતિ મહત્વનો છે
ભાજપ-શિવસેના વચ્ચે સિંહાસન માટે ખેંચતાણ
Meeting with Hon.governer of Maharashtra...
मा.राज्यपाल आम्ही आपले आभारी आहोत pic.twitter.com/WrLk1QhiW1
મહારાષ્ટ્રમાં જે દિવસે વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આવ્યા ત્યારથી જ શિવસેનાએ તેની માંગો વધારી દીધી હતી. ગઠબંધન કરીને ચૂંટણી લડ્યા બાદ ભાજપ અને શિવસેનામાં અંદરોઅંદર જ મતભેદો વધતા ગયા. શિવસેના નેતાઓ મહારાષ્ટ્રમાં શિવસેનાનો મુખ્યમંત્રી બને તેવી માંગ કરી છે. સંજય રાઉત દ્વારા નિયમિત રૂપે ભાજપ પર હુમલા કરવામાં આવી રહ્યા છે જેથી મહારાષ્ટ્રમાં કોકડું વધુ ગુચવાયું છે. શિવસેના-ભાજપ ગઠબંધન પાસે બહુમત છે પરંતુ તે બે પક્ષો વચ્ચે મુખ્યમંત્રીના સિંહાસન માટે ખેંચતાણ વધી ગયી છે.
શિવસેના અપનાવશે 1995 વાળી ફોર્મ્યુલા ?
Mumbai: Shiv Sena leaders Ramdas Kadam and Sanjay Raut met Maharashtra Governor Bhagat Singh Koshyari. pic.twitter.com/p0T2XFZgL8
મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાએ પ્રથમ વખત 1990 માં ઔપચારિક રીતે ગઠબંધન કરીને ચૂંટણી લડ્યા હતા. ત્યારબાદ બીજી વખત 1995 માં ભાજપ-શિવસેનાએ મળીને ચૂંટણીમાં કિસ્મત અજમાવેલ. મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધનના શિલ્પકાર કહેનાર ભાજપના નેતા પ્રમોદ મહાજન અને શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરે વચ્ચે આ નક્કી થયું છે કે, ભાજપ કેન્દ્રની રાજનીતિ કરશે અને શિવસેના રાજ્યની સરકાર ચલાવશે.