કંગના અને શિવસેનાના સંજય રાઉતની વચ્ચે શરુ થયેલું શબ્દ યુદ્ધ કંગનાના મુંબઈને પીઓકે કહેવા પર વધારે ગરમાયું છે. એ બાદ બીએમસી દ્વાકા કંગનાની ઓફિસ તોડવાની કાર્યવાહીએ આ મામલામાં આગમાં ઘીનું કામ કર્યું છે. ઓફિસ તુડનારને કંગનાએ બાબર સાથે સરખાવ્યા અને શિવસેનાને બાળા સાહેબની નહીં સોનિયાની ગણાવી છે. ત્યારે સંજય રાઉતે તેનું નામ લીધા વગર કહ્યું કે બાબરી અમે જ તોડી તમે શું શીખવશો’
બાળા સાહેબે શિવસેનાનું નિમાર્ણ કર્યુ તે વિચારધારા ભુલાઈ : કંગના
આ શિવસેના બાળા સાહેબની નહીં પરંતુ સોનિયા સેના છે : કંગના
जिस विचारधारा पे श्री बाला साहेब ठाकरे ने शिव सेना का निर्माण किया था आज वो सत्ता केलिए उसी विचारधारा को बेच कर शिव सेना से सोनिया सेना बन चुके हैं, जीन गुंडों ने मेरे पीछे से मेरा घर तोड़ा उनको सिविक बॉडी मत बोलो, संविधान का इतना बड़ा अपमान मत करो 🙏 https://t.co/ZOnGqLMVXC
શિવસેના પર ફરી પલટવાર કરતા કંગનાએ કહ્યું કે આજની શિવસેના બાળા સાહેબની શિવસેના નથી. બાળા સાહેબે શિવસેનાનું નિમાર્ણ કર્યુ તે વિચારધારા ભુલાઈ ગઈ છે. આ શિવસેના બાળા સાહેબની નહીં પરંતુ સોનિયા સેના છે. કંગનાએ કહ્યું કે ગુંડાઓએ મારી ગેરહાજરીમાં મારું ઘર તોડ્યું. બંધારણનું આ રીતે અપમાન ન કરો.
કંગના રનૌતે તેની ઓફિસ તોડનારની સરખામણી કરી હતી. જેમાં સંજય રાઉતે કંગનાનું નામ લીધા વગર જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે " બાબરી તોડનારા અમે જ છીએ તમે અમને શું શીખવાડશો.’
ઉલ્લેખનીય છે કે કંગના અને શિવસેનાના લીડર સંજય રાઉતની વચ્ચે શબ્દ યુધ્ધ થઈ રહ્યું છે. આ ટ્વીટ વોરમાં કંગનાએ મુંબઈને અસુરક્ષિત અને પીઓકે ગણાવ્યું હતુ. ત્યારે સંજયે કંગનાને હરામખોર અને પછી નોટી કહ્યું હતું. જો કે કંગનાની ઓફિસમાં તોડફોડ થઈ તો તેમણે પોતાના ઓફિસને રામમંદિર અને બીએમસીના કર્મચારીઓને બાબર સાથે સરખાણમી કરી દીધી હતી. કંગના હવે સીધા મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધી રહી છે અને તેમણે કહ્યું કે જલ્દી ઠાકરેનો ઘમંડ તુટશે.