મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા પર થોડા સમયમાં ચિત્ર સ્પષ્ટ થઇ જશે. દિલ્હીમાં કોંગ્રેસની બીજી બેઠક યોજાઇ હતી. જેમાં શિવસેનાને સમર્થન આપવા ચર્ચા થઇ હતી. જોકે હજુ સુધી કોંગ્રેસે શિવસેનાને સત્તાવાર સમર્થન આપ્યું નથી. બીજી તરફ શિવસેનાએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી. જેમાં રાજ્યપાલ પાસે સરકાર બનાવવા માટે સમય માંગ્યો પરંતુ તેમણે સમય આપવાની મનાઇ કરી દીધી.
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા પર સંકટ
રાજ્યપાલે NCP પાસેથી માંગ્યો જવાબ
શિવસેનાને રાજ્યપાલે ન આપ્યો સમય
કોંગ્રેસ હવે એનસીપી સાથે ફરી ચર્ચા કરશે
શિવસેનાને સમર્થન પર કોંગ્રેસમાં નિર્ણય નહીં
તમામ પરિસ્થિતિ પર અમારી નજરઃ ભાજપ
ભાજપે આજે પણ બે-બે વખત કોર કમિટીની બેઠક કરી છે. ત્યારબાદ પાર્ટીએ કહ્યું કે ભાજપ સમગ્ર રાજનીતિ પર નજર રાખી રહી છે અને આવનાર સમયમાં ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવશે. ભાજપે પહેલા જ રાજ્યપાલને મળીને સરકાર બનાવવામાં પોતાની અસમર્થતા દર્શાવી હતી કારણ કે તેમની પાસે પર્યાપ્ત સંખ્યાબળ નથી. રાજ્યમાં ભાજપ-શિવસેનાના ગઠબંધનને બહુમતિ મળી હતી પરંતુ મુખ્યમંત્રી પદને લઇને શિવસેનાએ એનડીએ અને ભાજપનો સાથે છોડી દીધો છે.
કાલે જવાબ આપશે એનસીપી
એનસીપી નેતાઓએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી છે. જ્યાર બાદ પાર્ટી તરફથી કહેવામાં આવ્યું છે કે અમે રાજ્યપાલને કહ્યું છે કે પોતાના સહયોગી દળો સાથે વાત કરીને સરકાર બનાવવાને અંગે જવાબ આપીશું. એનસીપી નેતાએ કહ્યું કે રાજ્યપાલને અમે મંગળવારે રાત્રે 8.30 કલાક સુધીમાં પોતાનો જવાબ આપીશું.
Mumbai: Ajit Pawar, Chhagan Bhujbal and other Nationalist Congress Party (NCP) leaders met Maharashtra Governor Bhagat Singh Koshyari at Raj Bhavan in Mumbai. pic.twitter.com/UygjGd4rxQ
કોંગ્રેસ સાથે ચર્ચા કરી આવતીકાલે અંતિમ નિર્ણય લઇશુંઃ NCP
મુંબઈમાં NCPના નવાબ મલિકની પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે કહ્યું કે, ભાજપ-શિવસેના પાસે બહુમતી હતી. ભાજપે સરકાર બનાવવા અસમર્થતા દર્શાવી. શિવસેનાએ સમર્થનની માંગ કરી હતી. અમે કોંગ્રેસ સાથે બેસીને નિર્ણય લઈશું. કોંગ્રેસે શરદ પવાર સાથે ફોન પર વાત કરી હતી. શિવસેનાએ વધુ સમય માંગ્યો હતો. રાજ્યપાલે વધુ સમય આપવા ઈન્કાર કર્યો હતો. ત્રણેય પક્ષો વચ્ચે ઓછા સમયમાં સહમતી ન બની હતી. આમારા નેતાઓ રાજ્યપાલને મળવા ગયા છે. અમે કોંગ્રેસ સાથે ચર્ચા કરીશું. સ્થિર સરકાર માટે અમે કોંગ્રેસ સાથે ચર્ચા કરીશુ. અમે આવતીકાલ સુધીમાં અંતિમ નિર્ણય લઈશુ.
NCPને સરકાર બનાવવા રાજ્યપાલનું આમંત્રણ
શિવસેનાને કોંગ્રેસનું સત્તાવાર સમર્થન ન મળતાં હવે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ NCPને સરકાર બનાવવા આમંત્રણ આપ્યું છે. જોકે રાજ્યપાલે NCPને 24 કલાકનો સમય આપ્યો છે. મહત્વનું છે કે NCPએ વિપક્ષમાં બેસવાની માંગ કરી હતી.
કોંગ્રેસ હજુ શિવસેનાને સમર્થન આપવામાં સમય લગાવી શકે છે. પાર્ટીના વરિષ્ઠ નેતા મુંબઇ જઇને એનસીપી પ્રમુખ શરદ પવાર અને કોંગ્રેસના અન્ય નેતાઓ સાથે વાતચીત કરશે, ત્યારબાદ આગળ કોઇ નિર્ણય લેવામાં આવશે. આજે અંદાજિત 3 કલાક સુધી ચાલેલ કોંગ્રેસની બેઠકમાં સમર્થન પર કોઇ ઠોસ નિર્ણય લઇ શકાયો નથી. એનસીપી વગર કોંગ્રેસ શિવસેનાને સમર્થન નહીં આપે કારણ કે સરકાર બનાવવાને લઇને શિવસેનાને એનસીપી-કોંગ્રેસ બન્ને પક્ષોનું સમર્થન જરૂરી છે.
શિવસેનાએ નથી સોંપી સમર્થન ચિઠ્ઠીઃ રાજ્યપાલ
શિવસેનાએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી. જેમાં રાજ્યપાલ પાસે સરકાર બનાવવા માટે સમય માંગ્યો પરંતુ તેમણે સમય આપવાની મનાઇ કરી દીધી હતી. ત્યારે હવે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ મહત્વનું નિવેદન આપ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, સમર્થન ચિઠ્ઠી આપવાનો 3 દિવસનો સમય હતો, પરંતુ શિવસેનાએ હજુ સુધી સમર્થન ચિઠ્ઠી નથી સોંપી.
રાજ્યપાલે ન આપ્યો શિવસેનાને સમય
રાજ્યપાલ સાથે મુલાકાત બાદ શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અમે રાજ્યપાલને કહ્યું કે શિવસેના સરકાર બનાવવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે, અમે રાજ્યપાલ પાસે 2 દિવસનો સમય માંગ્યો હતો પરંતુ તેમણે ઇન્કાર કરી દીધો છે. ઠાકરેએ કહ્યું કે બીજા પક્ષો સાથે શિવસેનાની વાતચીત ચાલી રહી છે, પરંતુ તેમનો પત્ર મેળવવામાં સમય લાગી રહ્યો છે, તેવામાં અમને સમય આપવામાં આવે, જોકે રાજ્યપાલે શિવસેનાને સમય આપવાનો ઇન્કાર કરી દીધો છે. જોકે હજુ સુધી રાજ્યપાલે શિવસેનાને દાવાને નામંજૂર નથી કર્યો.
Aaditya Thackeray, Eknath Shinde and other Shiv Sena leaders meet Maharashtra Governor Bhagat Singh Koshyari at Raj Bhavan in Mumbai. #Maharashtrapic.twitter.com/EKWeO8URAz
આદિત્ય ઠાકરે રાજ્યપાલને મળવા પહોંચ્યા, રાજ્યના મુદ્દા પર થશે ગઠબંધન
શિવસેના નેતા આદિત્ય ઠાકરે રાજ્યપાલને મળવા પહોંચી ચૂક્યા છે. સાથે એકનાથ શિંદે પણ રાજભવન પહોંચ્યા છે. આદિત્ય, સુભાષ દેસાઇ સહિત શિવસેનાના કેટલાક અન્ય નેતાઓ પણ પહોંચ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટી રાજ્યપાલ સાથે સરકાર બનાવવા પર જવાબ આપવા માટે 24 કલાકનો સમય માંગી શકે છે. એનસીપી કોઇ વરિષ્ઠ શિવસેના નેતાને મુખ્યમંત્રી બનાવવા માંગે છે, તેવામાં ઉદ્ધવ ઠાકરે જ સૌથી વધુ સારો વિકલ્પ હશે. ત્યારે શિવસેનાએ એનસીપીને પ્રસ્તાવ આપ્યો છે કે તેમનું ગઠબંધન મહારાષ્ટ્રમાં ખેડૂતો, દુષ્કાળ, રોજગારના મુદ્દા પર થશે ન કે કોઇ રાષ્ટ્રીય મુદ્દાને લઇને બન્ને દળો સાથે આવી રહ્યા છે. આ પ્રસ્તાવ શિવસેનાએ કોંગ્રેસને પણ આપ્યું છે.
Maharashtra: Shiv Sena leader Aaditya Thackeray and other leaders of the party reach Raj Bhavan, in Mumbai. pic.twitter.com/6dL1yiMm9C
સરકાર બનાવવા પર ફરી સંકટ, સમર્થન આપતા પહેલા NCP સાથે વાત કરશે સોનિયા
કોંગ્રેસે શિવસેનાને સમર્થન આપવાના મુદ્દે સોમવારે 10 જનપથમાં બેઠક કરી. સોનિયાની અધ્યક્ષતામાં થયેલ આ બેઠકમાં શિવસેનાને સમર્થન આપવા પર ચર્ચા થઇ. કોંગ્રેસ કહ્યું કે, સોનિયા ગાંધીએ શરદ પવાર સાથે વાત કરી છે અને આ મુદ્દે ફરીથી એનસીપી સાથે વાત કરી શકે છે.
કોંગ્રેસે લેટરહેડ જાહેર કરીને કર્યો ખુલાસો
કોંગ્રેસે કહ્યું કે, શિવસેનાને સમર્થન પત્ર હજુ સુધી આપ્યો નથી. NCP સાથે ચર્ચા બાદ આખરી નિર્ણય લેવાશે. NCP પ્રમુખ શરદ પવાર સાથે ફરી ચર્ચા કરીશું. શિવસેનાને સમર્થન પર મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે, સોનિયા ગાંધી અને શરદ પવાર વચ્ચે ચર્ચા થઇ છે. પક્ષના નિવેદને તમામ મામલે સ્પષ્ટતા કરી છે. કોંગ્રેસે પોતાનું નિવેદન જાહેર કર્યુ છે. અમે વધુ એક વખત શરદ પવાર સાથે ચર્ચા કરીશું.
પાર્ટી નેતા ચંદ્રકાંત પાટિલે દેવેન્દ્ર ફડણવીસ સાથે કરી મુલાકાત
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઇને દરેક પક્ષ પોતાનું જોર લગાવી રહ્યા છે. ભાજપ હવે ફરીથી કોર કમિટીની બીજી બેઠક કરવા જઇ રહી છે. પાર્ટી નેતા ચંદ્રકાંત પાટિલ દેવેન્દ્ર ફડણવીસે મુલાકાત માટે તેમના ઘરે પહોંચ્યા છે. ત્યારે શિવસેના સચિન મિલિંદ નાવેંકરે કોંગ્રેસના અહેમદ પટેલ સાથે મુલાકાત કરી છે.
સોનિયાએ ઉદ્ધવ ઠાકેર સાથે કરી વાત
મહારાષ્ટ્રમાં શિવસેનાને સમર્થન આપવાના નિર્ણય પર વિચાર કરવા માટે સોનિયા ગાંધીની સાથે દિલ્હીમાં કોંગ્રેસના મોટા નેતાઓની બેઠક યોજાઇ હતી આ બેઠકમાં મહારાષ્ટ્ર કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સહિત અહેમદ પટેલ અને એકે એન્ટની જેવા વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહ્યા હતા. આ વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ફોન કરીને સોનિયા ગાંધી સાથે વાત કરી છે. આ બેઠકમાં જ શિવસેનાને સમર્થન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કોંગ્રેસે મંત્રી અને Dy CM પદ માંગ્યું
સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસે CWCની બેઠક બાદ એવી માંગ કરી છે કે શિવસેનાના મુખ્યમંત્રી હોય પણ NCP અને કોંગ્રેસના બે નાયબ મુખ્યમંત્રી હોય. આ સાથે કેબિનેટ મંત્રાલયમાં પણ શિવસેના-NCP અને કોંગ્રેસના 14-14 મંત્રી હોવા જોઈએ. જો શિવસેના આ ફૉર્મ્યુલા સ્વીકારવા તૈયાર હોય તો કોંગ્રેસ ટેકો દેવા તૈયાર છે.
કેન્દ્રીય મંત્રી અરવિંદ સાવંતનું મોટું નિવેદન
કેન્દ્રીય મંત્રી અરવિંદ સાવંતે રાજીનામું આપ્યાં બાદ કહ્યું કે મહારાષ્ટ્રમાં નવી સરકાર બની રહી છે. ઠાકરે પરિવાર વચનો પાક્કો છે અને તે નિભાવીને રહેશે. ભાજપ સાથે 50-50 ફોર્મ્યુલાનો વાયદો હતો અને તેમાં CM પદ પણ શામેલ હતું પરંતુ તે ભાજપે નિભાવ્યો નહીં. ઠાકરે પરિવારને આ બાબતથી દુઃખ પહોંચ્યું છે અને તેથી જ અમારું ગઠબંધન ટુટ્યું છે. આવી પરિસ્થિતિમાં મારું કેબિનટેમાં રહેવું યોગ્ય નથી. મેં મારું રાજીનામું PM મોદીને મોકલી આપ્યું છે. મારું રાજીનામું આપવાનો મતલબ તમે સમજી જ શકો છો.
કેવી રીતે બનશે શિવસેનાની સરકાર
શિવસેના પાસે 56 ધારાસભ્યો છે. મહારાષ્ટ્રમાં કુલ વિધાનસભાની 288 બેઠક છે. કોઇપણ પક્ષને સરકાર બનાવા માટે 145નો આંકડો જોઇએ. આવા સમયે 54 બેઠકવાળી શરદ પવારની NCPનું સમર્થન શિવસેનાને મળી જાય તો પણ આંકડો 110 સુધી પહોંચી શકે છે. ત્યારે શિવસેનાને સરકાર બનાવવા માટે દાવા રજૂ કરવા પર 35 ધારાસભ્યોના સમર્થનની જરૂરિયાત પડે.
એવામાં અન્ય પાર્ટી તેમજ અપક્ષ ઉમેદાવારના ખાતામાં 27 બેઠક ગઇ છે. જ્યારે કોંગ્રેસ પાસે 44 સીટ છે. આવામાં શિવસેના ગઠબંધનને એનસીપી સિવાય 35 બેઠકની જરૂરિયાત પડી શકે છે. આમ આવા સંજોગોમાં કોંગ્રેસના સમર્થન સિવાય કોઇ વિકલ્પ નથી. આમ કોંગ્રેસ, શિવસેના અને NCP સાથે આવી જાય છે તો આ ગઠબંધન બહુમતિના જાદુઇ આકાડાંને પાર કરી શકે છે. ત્રણેય પક્ષની કુલ 154 બેઠક થઇ જાય છે.