બીજેપી શિવસેના ગઠબંધન (BJP Shivsena Alliance)ને બહુમતી મળવા છતા મહારાષ્ટ્રમાં નવી સરકાર શપથ લઇ શકી નથી. 24 ઓક્ટોબરે આવેલા પરિણામો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એલાન કર્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસની આગેવાનીમાં મહારાષ્ટ્ર વિકાસ કરશે.
મહારાષ્ટ્રમાં નવી સરકાર પર ગુચ પેદા થવા વચ્ચે ઉદ્ધવ ઠાકરેનું મોટુ નિવેદન
ઉદ્ધવ ઠાકરે કહ્યું કે મુખ્યમંત્રી પદ પર અમારો હક છે અને અમારી જિદ્દ પણ
ઉદ્ધવ ઠાકરે પોતાના પુત્ર આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રીની ખુરશી પર જોવા માંગે છે
જોકે, આ તમામની વચ્ચે બીજેપી અને શિવસેનામાં 50-50 ફોર્મૂલાને લઇને ખેંચતાણ ચાલી રહ્યું છે. અને સરકાર ગઠનમાં ગુચ પેદા થઇ છે. બીજેપી અને શિવસેના ચૂંટણી તો સાથે-સાથે લડ્યા પરંતુ હવે શિવસેનાએ પોતાનુ વલણ વધુ કડક બનાવ્યું છે. જેનુ કારણ એ છે કે શિવસેના અઢી-અઢી વર્ષના ફોર્મૂલા પર અડી છે. ઉદ્ધવ ઠાકરે પોતાના પુત્ર આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રીની ખુરશી પર જોવા માંગે છે.
ત્યારે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનું મોટુ નિવેદન આવ્યું છે. શિવસેનાની મીટિંગમાં ઉદ્ધવ ઠાકરે કહ્યું કે અમારી સંખ્યા સારી છે અને મુખ્યમંત્રી પદ પર અમારો હક છે અને અમારી જિદ્દ પણ. એમણે કહ્યું કે મુખ્યમંત્રીનું પદ હંમેશા એક માટે કાયમ નથી રહેતું. બાલાસાહેબ ઠાકરે જેને જે વચન આપ્યું તેણે તેનુ પાલન કર્યું. અમે સત્તાના ભૂખ્યા નથી, પરંતુ બીજેપી સાથે જે વાત થઇ તેનુ પાલન થવું જોઇએ.
દાદર સ્થિત શિવસેના મુખ્યાલયમાં આયોજિત આ બેઠકમાં ઉદ્ધવ ઠાકરે પણ હાજર હતા. આ બેઠકમાં કેટલાક અપક્ષ ધારાસભ્યો પણ હાજર હતા. જેમણે 21 ઓક્ટોબરે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી બાદ રાજ્યમાં સત્તા વંહેચણીને લઇને ભાજપ-શિવસેના વચ્ચે ખેંચતાણ ચાલુ રહેવાની વચ્ચે શિવસેનાને સમર્થનની જાહેરાત કરી છે.
બીજી તરફ બીજેપીના સૂત્ર દાવો કરી રહ્યા છે કે મહારાષ્ટ્ર સરકારની બ્લૂ પ્રિન્ટ તૈયાર થઇ ગઇ છે. એ મુજબ મહારાષ્ટ્રમાં બીજેપી-શિવસેનાની ગઠબંધન સરકાર બનશે અને દેવેદ્ર ફડણવીસ પૂર્ણ 5 વર્ષ માટે મુખ્યમંત્રી બની રહેશે.