શિવસેનાએ જણાવ્યું નહેરુ,ઈન્દીરા ગાંધી અને મનમોહનને 70 વર્ષમાં ઊભા કરેલા હેલ્થ ઈન્ફાસ્ટ્રક્ચરને કારણે જ દેશને કોરોનાના કઠણ કાળમાં મદદ મળી છે.
શિવસેનાના મુખપત્ર સામનામાં મોદી સરકાર પર ચાબખા
મોદી સરકાર મહામારી રોકવામાં નિષ્ફળ ગઈ
કેન્દ્રની ખોટી નીતિઓને કારણે મહામારી વકરી
શિવસેનાના મુખપત્ર સામનામાં મોદી સરકાર પર નિશાન સાધવામા આવ્યું.શિવસેનાએ આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર મહામારીની સ્થિતિને સંભાળવામાં નિષ્ફળ સાબિત થઈ છે.
જ્યારે દેશ આત્મનિર્ભર બનવાની કોશિશ કરી રહ્યો હતો ત્યારે તેને નેપાળ, શ્રીલંકા, ભૂતાન જેવા નાના દેશોની મદદ લેવાનો વારો આવ્યો છે.કેન્દ્ર સરકાર કરોડો રુપિયાની સેન્ટ્રલ વિસ્ટા પરિયોજનાનું કામ પણ અટકાવવા તૈયાર નથી.
ભારત નહેરૃ-ગાંધી દ્વારા બનાવાયેલી વ્યવસ્થાને સહારે
શિવસેનાએ કહ્યું કે આજે ભારત નહેરુ ગાંધી પરિવારે ઊભી કરેલી વ્યવસ્થાને સહારે છે. પરંતુ આજના શાસકોની ખોટી નીતિઓને કારણે ભારત આજે આવી કપરી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે.
પીએમ 20 હજાર કરોડનો સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ રોકવા તૈયાર નથી
શિવસેનાએ જણાવ્યું કે ગરીબ દેશો પોતપોતાની રીતે ભારતની મદદ કરી રહ્યાં છે ત્યારે પ્રધાનમંત્રી મોદી 20 હજાર કરોડનો સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ રોકવા તૈયાર નથી. પાર્ટીએ કહ્યું કે કોઈને પણ એ વાતનો અફસોસ નથી કે એકબાજુ ભારત બાંગ્લાદેશ, શ્રીલંકા અને ભૂતાન જેવા દેશોની મદદ લઈ રહ્યો છે તો બીજી બાજુ મોદી નવા સંસદ ભવન અને પ્રધાનમંત્રી આવાસ નિર્માણ માટે કરોડોની સેન્ટ્રલ વિસ્ટા પરિયોજના ચાલુ રાખી રહ્યાં છે.
ભાજપ તો બસ બંગાળમાં મમતાને ઘેરવામાં પડ્યો
શિવસેનાએ કહ્યું કે આખી દુનિયા કોરોનાની વૈશ્વિક મહામારીની બીજી લહેર સાથે ઝઝુમી રહી છે અને વિશેષજ્ઞોનું અનુમાન છે કે ત્રીજી લહેર ખતરનાક હશે. પરંતુ સત્તારૃઢ ભાજપાને તો પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીને ઘેરવામાં પડી છે. ભાજપ સાંસદે સ્વામીએ સ્વાસ્થ્ય મંત્રાલય કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને સોંપવાની માંગ કરી છે જે હાલનું સ્વાસ્થ્ય મંત્રાલય સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયું હોવાનો પાકો પુરાવો છે.