કેટલાંક લોકોને આજે જાણીને નવાઇ લાગી રહી છે કે શિવસેના કોંગ્રેસના બહારથી સમર્થનને લઇને મહારાષ્ટ્રમાં સરકાર બનાવા જઇ રહી છે. જે શિવસેનાને ભાજપનો સાથ આપનાર નાનો પક્ષ માનવામાં આવી રહ્યો હતો, જો કે રાજકારણના આ નવા ખેલમાં હવે કોંગ્રેસના સમર્થનને લઇને સરકાર બનાવાની કવાયત કરવામાં આવી રહી છે.
લેખ થોમસ બ્લોમ હાંસનના પુસ્તકમાંથી મળી જાણકારી
શિવસેના-કોંગ્રેસ વચ્ચે મહારાષ્ટ્રમાં હતા સારા સંબંધ
કોંગ્રેસ સરકાર હંમેશા શિવસેના પર રાખતી હતી નરમ વલણ
જો કે ઇતિહાસમાં આ નવુ નથી. જો થોડા વર્ષો પાછળ નજર નાંખીએ તો શિવસેના અને કોંગ્રેસના એક સમયે સારા સંબંધ પણ હતા. જેમાં એક નજર નાંખીએ તો 1974માં તત્કાલીન મુંબઇમાં થયેલા મ્યુનિસિપલ ચૂંટણીમાં શિવસેના અને કોંગ્રેસની સત્તાવાર ગંઠબંધન થયું હતું.
લેખક થોમસ બ્લોમ હાંસનના પુસ્તક વેજસ ઓફ વાયલેન્સઃ નેમિંગ એન્ડ આઇડેડિટી ઇન પોસ્ટકોલોનિયલ બોમ્બેમાં આ અંગેની જાણકારી આપવામાં આવી છે. તેમાં જણાવામાં આવ્યું છે કે 1969 સુધી શિવસેના અને કોંગ્રેસના સંબંધો સારા હતા. પછી તે મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે વિધાનસભા હોય.
પૂસ્તકમાં આમ જનતા વચ્ચે ચાલેલી ચર્ચાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં જણાવાયું છે કે ઠાકરે પરિવારના મિત્ર એવા પૂર્વ મુખ્યમંત્રી વસંતરાવ નાઇક અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા વસંતદાદા પાટિલએ શિવસેનાના સાથેના ગઠબંધન અને તેમના વિકાસમાં યોગદાન આપ્યું હતું.
કોંગ્રેસ સરકારોએ હંમેશા શિવેસનાને લઇને નરમ વલણ રાખવા અંગે પુસ્તકમાં કોઇ પુષ્ટી કરવામાં આવી નથી. જો કે પોતાના હિંસક મિજાજથી જાણીતા બાલા સાહેબ ઠાકરેની 1969 સિવાય કયારેય ધરપકડ કરવામાં આવી નહીં. એટલું જ નહીં પરંતુ 1993ના રમખાણને લઇને પણ શિવસેના પર કોંગ્રેસે ક્યારેય કાર્યવાહી કરી નથી.
ઇમર્જન્સીનું બાલા સાહેબ ઠાકરેએ કર્યું હતું સમર્થન
જ્યારે 1975માં દેશમાં તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ જ્યારે ઇમર્જન્સી ડીકલેર કરી હતી ત્યારે તમામ પક્ષોએ તેનો વિરોધ કર્યો હતો. જો કે તેમાં એક શિવસેના પક્ષ જ અપવાદ હતો. શિવસેનાએ ભારતીય લોકતંત્રના આ કાળા અધ્યાયને સમર્થન આપ્યું હતું.
શિવસેના-કોંગ્રેસ વચ્ચે મ્યુનિસિપલ કોર્પેરેશન ચૂંટણીમાં થયું હતું ગઠબંધન
મહારાષ્ટ્રમાં 1976-78 સુધી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસ અને શિવસેના વચ્ચે ગઠબંધન થયું હતું. જેમાં 1976-77માં મનોહર જોષી (શિવસેના)ના મેયર બન્યાં હતા. જ્યારે 1977-78માં મૂરલી દેઓરા (કોંગ્રેસ)ના મેયર બન્યા હતા. જ્યારે 1978માં વી.એસ. મહાદીક (શિવસેના)ના મેયર બન્યા હતા.