જ્યોતિષ શાસ્ત્ર મુજબ, જો કોઈ જાતકની કુંડળીમાં કાલ સર્પ દોષ હોય છે તો એવા જાતકોએ અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એવામાં જરૂરી છે કે આ દોષમાંથી મુક્તિ મેળવવા માટે કેટલાંક ઉપાય કરવામાં આવે.
કાલસર્પ દોષમાંથી મુક્તિ મેળવવા માંગો છો?
મુક્તિ મેળવવા માટે કરો આ ઉપાય
કુંડળીમાં કાલસર્પ દોષ હોય તો અનેક તકલીફ વેઠવી પડે છે
કાલસર્પ દોષમાંથી મુક્તિ મેળવવા શું કરશો?
આમ તો શિવરાત્રિ દર મહિને આવે છે, પરંતુ ફાગણ મહિનાની શિવરાત્રિ સૌથી મહત્વની હોય છે. શાસ્ત્રો મુજબ, આ દિવસે ભગવાન શિવ અને માં પાર્વતીના લગ્ન થયા હતા. તેથી આ દિવસ માં આદિશક્તિ અને ભગવાન શંકરના મિલન તરીકે જોવામાં આવે છે અને ભક્તો તેને મહાશિવરાત્રિ કહે છે. આ દિવસે વિધિપૂર્વક પૂજા-પાઠ અને વ્રત કરવાથી જીવનના ઘણા કષ્ટોમાંથી મુક્તિ મળે છે અને ઘણા દોષ દૂર થાય છે.
કાલસર્પ દોષ
આ વર્ષે મહાશિવરાત્રિ 18 ફેબ્રુઆરીએ મનાવવામાં આવશે. મહાશિવરાત્રિએ શનિ પ્રદોષ અને સર્વાર્થ સિદ્ધનો પણ સુખદ સંયોગ છે. એવામાં આ દિવસનુ ધાર્મિક મહત્વ ઘણુ વધી ગયુ છે. કાલસર્પ દોષની વાત કરીએ તો જો આ દોષ કોઈ જાતકની કુંડળીમાં હોય છે તો એવા જાતકોએ અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કાલ સર્પ દોષ ઘણા પ્રકારના હોય છે. જેમાં અનન્ત કાલસર્પ દોષ, કુલિક કાલસર્પ દોષ, વાસુકિ કાલસર્પ દોષ, શંખપાલ કાલસર્પ દોષ, પદ્મ કાલસર્પ દોષ, મહાપદ્મ કાલસર્પ દોષ, તક્ષક કાલસર્પ દોષ, કર્કોટક કાલસર્પ દોષ, શંખચૂડ કાલસર્પ દોષ, ઘાતક કાલસર્પ દોષ, વિષધર કાલસર્પ દોષ, શેષનાગ કાલસર્પ દોષનો સમાવેશ થાય છે.
ઉપાય
એવામાં જો તમે કાલસર્પ દોષથી પીડિત છો અને તેનાથી બચવા માંગો છો તો મહાશિવરાત્રિના દિવસે ભગવાન શંકરની પૂજા કરવી જોઈએ. મહાશિવરાત્રિએ ઉજ્જૈનમાં મહાકાલેશ્વર અથવા નાસિકમાં ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિગ અથવા પ્રયાગરાજમાં તક્ષકેશ્વર મહાદેવ મંદિરમાં પૂજા અને રૂદ્રાભિષેક કરવાથી આ દોષમાંથી છૂટકારો મળે છે. મહાશિવરાત્રિના દિવસે ભગવાન શંકરને ચાંદીના નાગની જોડી ચઢાવવી અને મહામૃત્યુંજય મંત્રનો દિવસમાં બે વખત જાપ કરવાથી પણ કાલસર્પ દોષમાંથી મુક્તિ મળે છે.