મધ્યપ્રદેશના પૂર્વ CM શિવરાજસિંહે કોંગ્રેસ પર મોટા આરોપ લગાવ્યા છે. શિવરાજસિંહે દાવો કરતા કહ્યું કે ભોપાલમાં જ્યોતિરાદિત્ય સિંધિયા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. શિવરાજસિંહે કહ્યું કે સિંધિયાની ગાડી પર પથ્થરમારો કરવામાં આવ્યો. તેમના કાફલા પર પણ હુમલો કરાયો છે.
પૂર્વ CM શિવરાજસિંહનો કોંગ્રેસ પર મોટો આરોપ
જ્યોતિરાદિત્ય સિંધિયા પર હુમલો કરાવવાનો આરોપ
સિંધિયાની કાર પર શખ્સોએ હુમલો કર્યો: શિવરાજ
શિવરાજસિંહે જ્યોતિરાદિત્ય સિંધિયા પર હુમલો કરાવવાનો આરોપ લગાવ્યો છે. શિવરાજસિંહે કહ્યું કે, સિંધિયાની કાર પર કેટલાક શખ્સોએ હુમલો કર્યો હતો. કોંગ્રેસે સિંધિયા પર જીવલેણ હુમલો કરાવ્યો છે. ડ્રાઈવરની સતર્કતાથી સિંધિયા સુરક્ષિત છે. કાર રોકવાના પ્રયાસ બાદ પથ્થરમારો કરાયો હતો. મધ્યપ્રદેશની કાયદા વ્યવસ્થાની સ્થિતિ ખરાબ થઇ ગઇ છે. સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસ થવી જોઈએ.
તેમણે કહ્યું કે, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના ભાજપના ઉમેદવાર જ્યોતિરાદિત્ય સિંધિયા પર જીવલેણ હુમલો કરવા માટે ગાડી પર ચડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. કોંગ્રેસ પર પ્રહાર કરતા શિવરાજ સિંહે કહ્યું કે શું રાજ્યમાં સત્તા ખોવાના ડરથી ડરેલી સરકાર સિંધિયા પર જીવલેણ હુમલો કરવા જઇ રહી હતી.
Former Madhya Pradesh CM & BJP leader Shivraj Singh Chouhan: When such an incident can happen to Jyotiraditya Scindia, one can imagine how bad is the situation in the State. Is the govt which has lost the majority behind this? I demand an investigation into the incident. https://t.co/r7inYA2jxk
શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે સિંધિયા પર થયેલા આ હુમલાની નિંદા કરતા પોલીસ તંત્રને તપાસ કરવાની માંગ કરું છું. સાથે જ આ મામલે જે પણ દોષિત હોય તેના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં સામેલ થયેલા જ્યોતિરાદિત્ય સિંધિયાએ શુક્રવારે રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી છે. સિંધઇયાએ મંગળવારે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને બુધવારે તેઓ ભાજપમાં સામેલ થયાહ તા. ત્યાર બાદ ભાજપે સિંધિયાને રાજ્યસભાના ઉમેદવાર બનાવવાનું એલાન કર્યું હતું. સિંધિયાનું ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.