મધ્યપ્રદેશમાં આખરે શિવરાજ સિંહ ચૌહાણે પોતાની હાર સ્વીકાર કરી લીધી છે. બુધવારનાં રોજ સવારે શિવરાજ મીડિયા સામે આવ્યાં અને તેઓએ કહ્યું કે જનતાએ અમને સ્પષ્ટ બહુમત નથી આપેલ. શિવરાજે કહ્યું કે અમે નિર્ણય લીધો છે કે સ્પષ્ટ બહુમત ન મળવાને કારણ અમે સરકાર બનાવવાનો દાવો રજૂ નહીં કરીએ.
હું મારું રાજીનામું આપવા મહામહિમ રાજ્યપાલ પાસે જઇ રહ્યો છું. એટલું કીધાં બાદ શિવરાજ સિંહ તુરંત ખુરશીમાંથી ઉઠી અને સીધાં જ રાજભવન તરફ રવાના થઇ ગયાં. રાજીનામા બાદ શિવરાજસિંહે કહ્યું કે હવે હું આઝાદ છું. રાજ્યપાલને મળ્યાં બાદ શિવરાજ સિંહે કહ્યું કે હું રાજીનામું આપીને આવ્યો છું. પરાજયની જવાબદારી મારી છે. પાર્ટીનાં કાર્યકર્તાઓએ ખૂબ પરિશ્રમ કર્યો.
કોંગ્રેસની બની સૌથી મોટી પાર્ટીઃ
મંગળવારનાં રોજ દિવસભર કાંટાની ટક્કર થવા બાદ બુધવારનાં રોજ સવારે ચૂંટણી આયોગે કોંગ્રેસને 114 સીટો સાથે સૌથી મોટી પાર્ટી જાહેર કરી હતી. આ બાજુ માયાવતી અને અખિલેશ યાદવે પણ કોંગ્રેસને સમર્થન આપવાની જાહેરાત કરી છે.
રાતભર બીજેપીમાં ચાલતો રહ્યો બેઠકોનો દોરઃ
આ પહેલાં સુધી બીજેપીમાં અંદરખાને સરકાર બનાવવાની મથામણ ચાલતી રહી. શિવરાજ સિંહ ચૌહાણ કૈલાશ વિજયવર્ગીય નરેન્દ્ર સિંહ તોમર પ્રભાત ઝા અને રાકેશ સિંહ રાતભર મીટિંગ કરતા રહ્યાં. પરંતુ આજ સવાર સુધી આની કોઇ જ સંભાવના બનતી જોવા ના મળી.