મધ્યપ્રદેશમાં નવી બનેલી ગૌ કેબિનેટની શરૂઆત રવિવારે થઇ હતી જેનો હેતુ ગાય અને ગૌ ઉત્પાદનોથી આત્મનિર્ભરતા લાવવાનો છે.
આ ગૌ કેબિનેટની પ્રથમ બેઠક CM શિવરાજસિંહ ચૌહાણના વડપણ હેઠળ થઇ હતી. તેમણે વર્ચ્યુઅલ મિટિંગ યોજીને સૌને સંબોધ્યા હતા. તેમણે ગોપાષ્ટમીની સૌને શુભેચ્છા પાઠવી હતી. નોંધનીય છે કે ગોપાષ્ટમી કૃષ્ણ અને ગાયની અર્ચના કરતો તહેવાર છે.
આ અગાઉ CMએ બુધવારે જાહેરાત કરી હતી કે ગાયોના રક્ષણ અને સંવર્ધન માટે એક કેબિનેટની રચના કરવામાં આવી છે. આ ગૌ કેબિનેટમાં એનિમલ હસબન્ડરી, વનવિભાગ, પંચાયત અને ગ્રામ્ય વિકાસ, રેવન્યુ, ગૃહ વિભાગ અને કૃષિ કલ્યાણ મંત્રાલય જેવા વિભાગો સક્રિય રહેશે.