મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન RSS પર પ્રતિબંધ લાદવાનો મુદ્દો નગરચર્ચાનું કેન્દ્ર બન્યો છે. કારણકે કોંગ્રેસ પોતાના મેનીફેસ્ટોમાં RSS પર પ્રતિબંધ લાદવાનું એલાન કર્યું છે.
ત્યારે મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણે રાહુલના વાર પર પલટવાર કર્યો અને કહ્યું કે સંઘની શાખાઓ સરકારી કાર્યાલયોમાં જ લાગશે.
જેમાં સરકારી કર્મચારીઓ પણ ભાગ લેશે. આના પર કોઈ રોક લગાવી શકશે નહીં. સંઘના દરેક કાર્યક્રમમમાં તમામને જોડાવાને મંજૂરી મળશે. તો શિવરાજસિંહ ચૌહાણના નિવેદન બાદ કોંગ્રેસ મધ્યપ્રદેશ પ્રભારી દિપક બાબરીયાએ કહ્યું કે ભાજપ મુદ્દા પરથી હટીને નોન ઈસ્યૂ પર વાત કરી રહી છે. આવું નિવેદન આપીને તેઓ બંધારણની મર્યાદા ભંગ કરી રહ્યા છે.
આપને જણાવી દઇએ કે આગામી સમયગાળામાં મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે કોંગ્રેસ અને ભાજપે પોતાના પક્ષને જીતાડવા માટે એડીચોર લગાવી દીધુ છે.
જો કે તાજેતરમાં કોંગ્રેસે જાહેર કરેલ મેનીફેસ્ટોમાં RSSની શાખાઓ પર પ્રતિબંધ મુકવાની વાત કરતા મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે પલટવાર કરતા જણાવ્યું હતું કે સંઘની શાખાઓ સરકારી કાર્યાલયોમાં જ લાગશે અને તેને કોઇ જ નહીં અટકાવી શકે.