મધ્ય પ્રદેશની પેટાચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની આરપારની લડાઈ છે જેમાં હાલમાં તો શિવરાજ સરકાર સલામત દેખાઈ રહી છે પરંતુ ઇન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયાના મુજબ જ્યોતિરાદિત્ય સિંધિયાને મોટો આંચકો લાગી શકે છે.
મધ્ય પ્રદેશની પેટાચૂંટણીને લઈને સમાચાર
પોલ અનુસાર ભાજપ સરકારના અસ્તિત્વની સામે ખતરો નથી
સિંધિયાના ગઢ સમાન વિસ્તારમાં કમલનાથ ગાબડું પડી શકે છે
મધ્યપ્રદેશની 28 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીમાં 355 ઉમેદવારો ભાગ્ય અજમાવી રહ્યા હતા. જેમાં ભાજપ નેતૃત્વ વાળી સરકારનું અસ્તિત્વતો હાલમાં સલામત જણાઈ રહ્યું છે પરંતુ આ ચૂંટણીમાં કમલનાથે સિંધિયાના ગઢમાં ગાબડું પાડી દીધું હોય તેવા ચિહ્નો પણ મળી રહ્યા છે.
સિંધિયા પરિવારનાઓ ગઢ સમાન વિસ્તારમાં છે મોટા ભાગની બેઠકો
ઈન્ડિયા ટુડે-એક્સિસના ઓપીનિયન પોલ અનુસાર, વિધાનસભાની 28 વિધાનસભા બેઠકોમાંથી ભાજપને 16 થી 18 બેઠકો મળી રહી છે જ્યારે કોંગ્રેસને 10 થી 12 બેઠકો મળવાની સંભાવના છે, અને આ ચૂંટણીમાંથી મોટા ભાગની બેઠકો સિંધિયા પરિવારના ગઢ સમાન ગ્વાલિયર ચંબલ વિસ્તારની છે જેમાં કોંગ્રેસના ઉમેદવારો જીતે તો સિંધિયાની સાખ પર પ્રશ્નો ઊભા થઈ શકે તેમ છે.
મધ્ય પ્રદેશમાં હાલમાં 29 વિધાનસભા બેઠકો ખાલી છે, જેમાંથી 28 બેઠકો યોજાઈ રહી છે. કોંગ્રેસના 25 ધારાસભ્યોના રાજીનામા અને 3 ધારાસભ્યોના મોતથી ખાલી પડેલી બેઠકો પર પેટા-ચૂંટણીઓ યોજાઈ રહી છે. આવી સ્થિતિમાં ભાજપે કોંગ્રેસના તમામ 25 બળવાખોર ધારાસભ્યોને મેદાનમાં ઉતાર્યા છે, જેમાંથી 14 શિવરાજ સરકારના પ્રધાનો છે.
ભાજપ સરકારના અસ્તિત્વ સામે સવાલો નથી
હાલમાં કુલ 230 વિધાનસભા બેઠકો છે, જેમાંથી 29 બેઠકો ખાલી છે. આ બેઠકોમાંથી 28 બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે, જેના માટે 229 બેઠકોના આધારે બહુમતીનો આંકડો 115 હોવો જોઈએ. આવી સ્થિતિમાં ભાજપને બહુમતી સંખ્યા મેળવવા માટે માત્ર આઠ બેઠકો જીતવાની જરૂર છે, જ્યારે કોંગ્રેસે તમામ 28 બેઠકો જીતવી પડશે. ભાજપ પાસે હાલમાં 107 ધારાસભ્યો છે, જ્યારે કોંગ્રેસ પાસે 87 ધારાસભ્યો છે, ચાર અપક્ષો છે, બે બસપા છે અને એક સપા છે.
સિંધિયાને પોતાનું પ્રભુત્વ પુરવાર કરવાનો પડકાર
જ્યોતિરાદિત્ય સિંધિયા માટે આ ગણિત થોડું અલગ છે. ગુનાના ચાર વખતના લોકસભાના સાંસદ, સિંધિયા ઇચ્છે છે કે તેમના જૂથના તમામ 22 ધારાસભ્યો, જેમણે તેમના માટે રાજીનામું આપ્યું હતું, તેઓ ફરીથી જીતે અને વિધાનસભા પહોંચે, કેમ કે આ વસ્તુ તેમની હાલની પાર્ટી ભાજપમાં તેમના કદને ફરીથી પરિભાષિત કરશે અને તેનાથી ભાજપમાં તેમનું કદ વધુ મજબૂત બનશે.