શિવજી પર જળ, દૂધ અને ધતૂરો અર્પણ કરવુ જોઈએ. પરંતુ હળદર, કંકુ અને અમુક વસ્તુઓ શિવજી પર બિલ્કુલ ના ચઢાવવી જોઈએ.
શિવજી પર જળ, દૂધ અને ધતૂરો અર્પણ કરવુ જોઈએ
પણ આ વસ્તુઓ શિવજી પર બિલ્કુલ ના ચઢાવવી જોઈએ
પૂજા કરતી સમયે અમુક નિયમોનુ પાલન અવશ્ય કરો
શિવલિંગ પર પૂજા કરતી વખતે આ બાબતોનુ રાખો ધ્યાન
ભગવાન શિવને દેવોના દેવ કહેવામાં આવે છે. લોકો શિવજીને પ્રસન્ન કરવા માટે અલગ-અલગ ઉપાય કરે છે. એવુ કહેવામાં આવે છે કે ભોળાનાથ પોતાના નામની જેમ જ ભોળા છે અને ભક્તોથી સરળતાથી ખુશ થાય છે. પરંતુ શિવજીની પૂજામાં કોઈ કમી રહી તો તેઓ રૌદ્ર સ્વરૂપ પણ ધારણ કરે છે. જો તમે ઘરે શિવલિંગ રાખો છો તો પૂજા કરતી સમયે અમુક નિયમોનુ પાલન અવશ્ય કરો.
ભૂલથી પણ ન ચઢાવતા આ વસ્તુઓ
ઘરમાં શિવલિંગ છે તો દરરોજ વિધિ-વિધાનપૂર્વક પૂજા કરો.
જો તમે નિયમિત રીતે પૂજા કરી શકતા નથી તો ઘરમાં શિવલિંગ ના રાખો.
શિવલિંગમાં કેતકીના ફૂલ, તુલસીના પાન, તુલસીનો છોડ ના ચઢાવવો જોઈએ.
શિવલિંગમાં ચંદન લગાવવુ જોઈએ. તેમાં હળદર-કુમકુમ પણ ના લગાવવુ જોઈએ.
ઘરમાં શિવલિંગ નાનુ હોવુ જોઈએ.
આ રીતે કરો શિવલિંગની પૂજા
શિવલિંગની પૂજા કરતા પહેલા આચમન ગ્રહણ કરવુ જોઈએ.
પછી શિવલિંગ પર અભિષેક કરવો જોઈએ.
શિવલિંગમાં પછી ચંદનનો લેપ લગાવો.
આ સાથે શિવલિંગમાં બિલિપત્ર ચઢાવો.
પછી નમ: શિવાયનો જાપ કરો.
ત્યારબાદ શિવજીની આરતી કરો.