જે લોકોની કુંડળીમાં ગ્રહો સાથે સંબંધિત દોષ હોય છે તેમને પરેશાનીઓનો સામનો કરવો પડે છે. ગ્રહોના દોષ દૂર કરવા માટે શિવપુરાણમાં અનેક ઉપાય બતાવ્યા છે. આ ગ્રંથ પ્રમાણે સપ્તાહના સાત દિવસોના ગ્રહ સ્વામી અલગ-અલગ હોય છે અને તેમને પ્રસન્ન કરવા માટેના ઉપાય પણ અલગ છે. જાણીતા જ્યોતિષ અનુસાર જાણો સપ્તાહના સાતેય દિવસો માટે કયા-કયા ઉપાય કરી શકાય છે-
રવિવાર-
રવિવારના અધિપતિ દેવ સૂર્ય સારું સ્વાસ્થ્ય પ્રદાન કરે છે. તેમને પ્રસન્ન કરવા માટે રોજ સૂર્યને જળ ચઢાવો. આ ઉપાય રવિવારથી શરૂ કરો. કોઈ ગરીબને ગોળનું દાન કરો.
સોમવાર-
આ ચંદ્રનો દિવસ છે અને ચંદ્રદેવ સંપત્તિના દાતા છે. આ દિવસે કોઈ ગરીબને તેની પત્ની સહિત ભોજન કરાવો. ભોજનમાં શુદ્ધ ઘીથી બનેલ પકવાન જરૂર રાખો. શિવજીને ખીરનો ભોગ લગાવો.
મંગળવાર-
મંગળ ગ્રહ આ વારના અધિપતિ છે અને તેઓ બીમારીને દૂરકરે છે. તેમને પ્રસન્ન કરવા માટે મંગળવારે મહાકાળીની પૂજા કરો. સાથે જ કોઈ ગરીબને ભોજન કરાવો. ભોજનમાં અડદ મગ કે તુવેરની દાળ જરૂર રાખો.
બુધવાર-
આ વારના કારક ગ્રહ બુધ છે. આ ગ્રહ બુદ્ધિના સ્વામી છે. બુધવારે ભગવાન ગણેશને દૂર્વા ચઢાવો અને દૂધથી બનેલ પકવાનનો ભોગ લગાવો. વિષ્ણુ ભગવાનની પૂજાથી પણ બુધ પ્રસન્ન થાય છે.
ગુરુવાર-
ગુરુવારના સ્વામી છે બૃહસ્પતિ દેવ અને તેઓ આયુને વધારે છે. તેમને પ્રસન્ન કરવા માટે ગુરુવારે વસ્ત્ર યજ્ઞોપવિત અને ખીરથી પોતાના ઈષ્ટદેવ અને શિવજીની પૂજા કરો.
શુક્રવાર-
સુખ-સુવિધાની વસ્તુઓના કારક ગ્રહ છે શુક્ર. તેમને પ્રસન્ન કરવા માટે શુક્રવારે કોઈ ગરીબ મહિલાને સુહાગનો સામાન અને અન્નનું દાન કરો.
શનિવાર-
શનિવારનો કારક ગ્રહ છે શનિ. શનિદેવ મૃત્યુનો ભય દૂર કરે છે. તેમને પ્રસન્ન કરવા માટે શનિવારે શિવલિંગ પર તલ ચઢાવો. કોઈ ગરીબને તલથી બનેલ ભોજન કરાવો. તેલનું દાન કરો.