જૂનાગઢમાં શિવરાત્રીના મેળાની તૈયારીઓ. રાજ્યના ST નિગમે પણ શિવરાત્રીના આ મેળાને લઈને ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ST નિગમે 350થી વધુ એક્સ્ટ્રા બસોની વ્યવસ્થા કરી છે.
જૂનાગઢના શિવરાત્રીના મેળાને લઈને તૈયારીઓ
ST વિભાગે 350 બસની ખાસ વ્યવસ્થા કરી
ભવનાથમાં 50 જેટલી મીની બસ રહેશે તહેનાત
જૂનાગઢમાં 2 વર્ષ બાદ મહાશિવરાત્રિનો મેળોયોજાવા જઈ રહ્યો છે ત્યારે, જુનાગઢ ભવનાથમાં ભારે તૈયારીઓ ચાલી રહી છે. સાથોસાથ એક સમયે 'મીની કુંભ' તરીકે નવાજાયેલા આ શિવરાત્રી મેળાને સફળ બનાવવા રાજ્ય સરકાર સાથે મહાનગર પાલિકાનું વહીવટી તંત્ર પણ તૈયારીઓમાં જોડાયું છે. ભવનાથના મેળામાં દીપાવલી બાદની લીલી પરિક્રમાની જેમ જ લાખોની જન મેદની ઉમટે છે. છેલ્લા બે વર્ષથી કોરોનાની સ્થિતિના કારણે મેળો આયોજિત થયો નહતો.
આ વખતે કોવિડ ગાઈડ લાઈનના નિયમ પાલન પ્રમાણે મેલો યોજવાની મહા પાલિકાની બાયેધરી બાદ રાજ્ય સરકારે મેળાને મંજૂરી આપીં હતી. રાજ્યના ST નિગમે પણ શિવરાત્રીના આ મેળાને લઈને ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ST નિગમે 350થી વધુ એક્સ્ટ્રા બસોની વ્યવસ્થા કરી છે. આ વિશેષ બસ વ્યવસ્થા 24 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી રહેશે. તો ભવનાથની તળેટીમાં 50 મીની બસની વ્યવસ્થા કરવામાં આવી છે.
ગુજરાતની ઓળખ સમા ગીરનારમાં મહાશિવરાત્રીનો મેળો યોજવા સરકારે મંજૂરીની મહોર મારી દીધી છે. કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી જૂનાગઢમાં મેળાના મંજૂરી આપવામાં નહોતી આવતી, પરંતુ કોરોનાની ત્રીજી લહેરની પીક જતી રહ્યા બાદ હવે સરકારે નિયંત્રણોમાંથી મુક્તિ આપી અને તેના જ ભાગ રૂપે જૂનાગઢમાં પણ મેળાને પરવાનગી મળી.
ધન્ય ધરા પર આધ્યાત્મના અવસરની ઉજવણી સાનુકૂળ રીતે થાય તે માટે જૂનાગઢના વહિવટી તંત્ર દ્વારા દરરોજ બેઠકો કરવામાં આવી રહી છે. અલગ અલગ કામગીરીમાં જવાબદારી નક્કી થાય તે માટે 13 ટીમો બનાવવામાં આવી છે ભવનાથ ખાતે મહાનગર પાલિકાની ટીમ સફાઈ, રસ્તાની કામગીરી શરૂ કરાઈ. કોરોનાના કારણે વેક્સિનેશન કેમ્પથી લઈને રસ્તા સેનેટાઈઝન કરવાની કામગીરી પણ આરંભાઈ ચુકી છે. પીજીવીસીએલની ટીમ હોય કે પછી ડિઝાસ્ટર મેનેજમેન્ટ, તમામ વિભાગો સંકલનમાં રહે, તેનો લઈને સચોટ આયોજન થઈ રહ્યું છે.
ગ્રીક, મૌર્ય વંશ, ક્ષત્રપ અને ગુપ્ત વંશોનો ઉજળા ઈતિહાસની સાક્ષી રહેલી આ ધરા પર આવીને, ભગવાન શિવના દર્શન કરવાની પરંપરા વર્ષો જૂની છે. દર વખતે ઉઠતો માનવ મહેરામણ શ્રદ્ધા અને સંસ્કૃતિના સમન્વની એક ઓળખ પૂરી પાડે છે. આ વખતે પણ શિવના શરણે આવીને ધન્યતા અનુભવવા ભક્તો પણ આતુર છે.